Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratમુખ્ય પ્રધાનને હસ્તે ‘મન કી બાત’ પુસ્તકનું વિમોચન

મુખ્ય પ્રધાનને હસ્તે ‘મન કી બાત’ પુસ્તકનું વિમોચન

ગાંધીનગરઃ વર્ષ 2014માં નરેન્દ્ર મોદી વડા પ્રધાન બન્યા બાદ તરત જ તેમણે પ્રધાનસેવક તરીકે દેશની જનતા સાથે સંવાદ દ્વારા લોકતંત્રને મજબૂત અને ઉજ્જવળ બનાવવા “મન કી બાત” નામથી રેડિયો વાર્તાલાપ શરૂ કર્યો હતો, આ કાર્યક્રમ આકાશવાણીના માધ્યમથી તેમની વાત કરોડો દેશવાસીઓના મનની વાત બની ગઈ છે.

રાજ્યના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલેને હસ્તે “મન કી બાત ૧.૦”પુસ્તકનું વિમોચન થયું હતું. આ કાર્યક્રમમાં તેમણે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્રભાઈ મોદી હરહંમેશ સંવાદને પ્રાધાન્ય આપતા રહ્યા છે. તેઓ જ્યારે મુખ્ય મંત્રી હતા ત્યારે “સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ” થકી જનતા જનાર્દન સાથે સંવાદ સાધીને રાજ્યની જનતા સાથે જોડાઈ રહ્યા હતા.

અનસ્ટોપેબલ ઇન્ડિયા ફાઉન્ડેશન (Unstoppable India Foundation)ના ચેરમેન  મેહુલ મકવાણાએ જણાવ્યું હતું કે  “મન કી બાત 1.0” સ્મૃતિસંગ્રહ અલગ-અલગ વિષયો, શક્તિઓ, વ્યક્તિઓ અંગેના તેમના વિચારને સરળ ભાષા અને શૈલીમાં તૈયાર કરી છે. “મન કી બાત 1.0” સ્મૃતિસંગ્રહ કોઈ પુસ્તક નથી, પણ સ્મૃતિઓનો સંગ્રહ છે. જે વરસો વરસ સુધી આપણને સૌને, દેશ અને દુનિયાને પથ દર્શાવતો રહેશે, માર્ગદર્શિત કરાવતો રહેશે તેવી મને શ્રદ્ધા છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular