Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratબુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પથ્થરો તૂટતા 5 શ્રમિકો દબાયા

બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં પથ્થરો તૂટતા 5 શ્રમિકો દબાયા

આણંદના રાજુપુરા પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં મોટી દુર્ઘટના સામે આવી છે. પથ્થરો તૂટતા 5 શ્રમિકો દબાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન પથ્થરો તૂટ્યા હોવાની ઘટના બની છે. પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ મોટી દુર્ઘટના બની છે. જો કે રાહતની વાત એ પણ છે કે પિલ્લર નીચે દબાયેલા 2 શ્રમિકોને તો બહાર કાઢી લેવામાં આવ્યા છે અને આ બંને શ્રમિકોને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અન્ય શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાલમાં ચાલી રહી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડે દ્વારા અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેનની કામગીરી હાલમાં પૂરજોશમાં ચાલી રહી છે. ત્યારે પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ ઘટના બની છે. ત્યારે રેલવે પ્રોજેકટના કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવી છે અને હાલમાં JCB વડે પથ્થરો હટાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાત આખી એમ છે કે પથ્થરો તૂટતા 5 શ્રમિકો દબાયા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. બુલેટ ટ્રેનની કામગીરી દરમ્યાન પથ્થરો તૂટ્યા હોવાની ઘટના બની છે. પથ્થરો બેસાડવાની કામગીરી દરમિયાન આ મોટી દુર્ઘટના બની છે. જો કે રાહતની વાત એ પણ છે કે પિલ્લર નીચે દબાયેલા 2 શ્રમિકોને તો બહાર કાઢી લેવામાં આવ્યા છે અને આ બંને શ્રમિકોને હાલમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્યારે અન્ય શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી હાલમાં ચાલી રહી છે. સુરત અને આણંદ શહેર નજીક ટ્રેકનું બાંધકામ ચાલી રહ્યું હોવાથી 200 મીટર લાંબી પેનલો બનાવવા માટે પુલ ઉપર પાટાના ફ્લેશ-બટ વેલ્ડીંગની પ્રક્રિયા થોડા દિવસ પહેલા જ શરૂ કરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular