Sunday, May 18, 2025
Google search engine
HomeNewsGujaratઆઈ. પી. ગૌતમ બન્યા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના નવા ચેરમેન

આઈ. પી. ગૌતમ બન્યા સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના નવા ચેરમેન

અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન આઈ. પી. ગૌતમને બનાવાયા. અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર રહી ચૂક્યાં છે. આઈ. પી. ગૌતમ 1986ની બેન્ચના ઓફિસર છે. હવે આઈ. પી. ગૌતમ સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે 2 વર્ષ સુધી સેવારત રહેશે.

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ કોર્પોરેશનના ચેરમેન તરીકે આઈ. પી. ગૌતમની નિમણુક કરવામાં આવી છે. જેમાં તેમણે હવે 2 વર્ષ સુધી સેવા આપશે. શહેરી વિકાસ પ્રોજેક્ટ ક્ષેત્રમાં આઈ. પી. ગૌતમની કામગીરીને લઈને તેઓ વધુ જાણીતા છે. આઈ. પી. ગૌતમની 2013માં શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીપદેથી નિવૃત્ત થયા હતા. તેઓ અમદાવાદ મહાનગરપાલિકાના કમિશનર તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. સૌથી નોંધપાત્ર બાબત એ છે કે, સારબમતી રિવરફ્રન્ટના નિર્માણ દરમિયાન ગૌતમની સૌથી અગત્યની ભૂમિકા રહી હતી. આ ઉપરાંત કમિશનર તરીકેના તેમના કાર્યકાળ દરમિયાન કાંકરિયા લેકફ્રન્ટનો વિકાસ, બીઆરટીએસ ઉપરાંત શહેરમાં અનેક ઓવરબ્રિજની કામગીરી સફળતાપૂર્વક થઈ હતી. આ ઉપરાંત લોકપાલના ભૂતપૂર્વ સભ્ય પણ રહી ચૂક્યા છે. જ્યારે આઈ. પી. ગૌતમ મેટ્રો રેલવેના ચેરમેન તરીકે સેવા આપી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular