Monday, June 16, 2025
Google search engine
HomeNewsGujaratમાણસો ગામ તરફ.. વગડાના જીવો શહેર તરફ...

માણસો ગામ તરફ.. વગડાના જીવો શહેર તરફ…

કોરોનાની આફત વેળા એ શહેરમાંથી પલાયન કરતાં હજારો લોકો સૌએ જોયાં. ગ્રામ્ય જીવન છોડી આજ માણસોએ શહેરીકરણ ને અપનાવવા દોટ મુકી ત્યારે પશુ પંખીઓ પલાયન થવા માંડ્યા. જ્યારે માણસ ગામ તરફ ભાગ્યા ત્યારે વગડામાં રહેતા પશુ પક્ષીઓ શહેરમાં દેખાવા માંડ્યા.

વધતી વસ્તી અને શહેરમાં ભળતાં ગામડાંથી વનવગડામાં ફરતાં જીવો પર માઠી અસર પડી રહી છે. કોરોનાની મહામારી અને ડરને કારણે લૉકડાઉન જાહેર થયું એટલે બે મહિનાથી માણસો કામ સિવાય માર્ગો પર દેખાતા નથી.

માણસો ઘરમાં જ પુરાઈ રહેતા ખેતરો, જંગલો અને નદીના ભેખડોમાં ફરતાં જીવો શહેરના માર્ગો પર દેખાવા માંડ્યા છે. અબોલ પશુ પંખીઓ માટે ચણ,ખોરાક, પાણી જે જગ્યાએ મુકવામાં આવે છે. એ સ્થળો પર પાણી ખોરાક ની શોધ માં વગડામાં રહેતા પશુ પક્ષીઓ પણ ભુખ તરસ છીપાવી જાય છે.

પ્રજ્ઞેશ વ્યાસ

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular