Wednesday, July 2, 2025
Google search engine
HomeNewsGujaratIOCL રિફાયનરીમાં આગ, 15 કલાકની જહેમત બાદ આવી કાબૂમાં, બેના મોત

IOCL રિફાયનરીમાં આગ, 15 કલાકની જહેમત બાદ આવી કાબૂમાં, બેના મોત

વડોદરાની ગુજરાત રિફાઇનરીમાં લાગેલી ભયાનક આગ રાતે 3 વાગ્યા બાદ કાબુમાં આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ગુજરાત રિફાઇનરીમાં બપોરે ત્રણ વાગ્યાના અરસામાં 1000 કિલો લીટરની ક્ષમતા ધરાવતી બેન્ઝીન ટેન્કમાં સેમ્પલ લેવા જતા પ્રચંડ બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. જેનાથી એક કિલોમીટર વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો, અને પાંચ કિલોમીટર સુધીના વિસ્તારમાં ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા.

વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગતરોજ (11 નવેમ્બર, 2024) બપોરના 3.30 વાગ્યે મોટો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જોકે, રાત્રે 8.30 વાગ્યે ફરી રિફાઇનરીમાં 5 હજાર સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો. જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો છે. GSFCની ફાયરની એક બાદ એક ગાડીઓ ઘટનાસ્થળ પર પહોંચી રહી છે. જેમાં અમદાવાદા, આણંદ, ગાંધીનગર સહિતની ફાયર વિભાગની 35થી વધુ ગાડીઓ સ્થળ પર પહોંચી ગોડી ગઈ હતી. IOCL રિફાઇનરીમાં ધડાકા સાથે થયેલા બે બ્લાસ્ટમાં બે લોકોના મોત નીપજ્યાં છે, જ્યારે બેને ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જિલ્લા કલેકટર એ ફાયર ઓફિસરો સાથે મીટિંગ પણ કરી હતી. આખરે ફાયર બ્રિગેડે એક્યુએસ ફિલ્મ ફોર્મિંગ ફોમ (AFFF) સિસ્ટમથી 15 કલાકથી વધુની જહેમત બાદ ફાયર વિભાગે આજે સવારે 7 વાગ્યાની આસપાસ સંપૂર્ણ સ્થિતિ કંટ્રોલમાં હોવાની માહિતી આપી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular