Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujaratજામીન ફગાવતાં હાઇકોર્ટનો તિસ્તા સેતલવાડને સરન્ડર થવાનો આદેશ

જામીન ફગાવતાં હાઇકોર્ટનો તિસ્તા સેતલવાડને સરન્ડર થવાનો આદેશ

અમદાવાદઃ ગુજરાત હાઇકોર્ટે શનિવારે કાર્યકર્તા તિસ્તા સેતલવાડની જામીન અરજી ફગાવ્યા પછી તરત સરન્ડર કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમણે ગયા વર્ષે એ અરજી દાખલ કરી હતી. તેમના પર વર્ષ 2002નાં ગુજરાતનાં રમખાણોથી જોડાયેલા પુરાવા એકત્ર કરવાનો આરોપ છે.

જસ્ટિસ નિર્જર દેસાઈ આ મામલાની સુનાવણી કરી રહ્યા હતા. તિસ્તા સેતલવાડના વકીલ મિહિર ઠાકોરે કોર્ટના ચુકાદો સંભળાવ્યા પછી કોર્ટ પાસે 30 દિવસો માટે ચુકાદાના અમલ પર રોક લગાવવા વિનંતી કરી હતી.સેતલવાડ પર આરોપ છે કે તેમણે વર્ષ 2002ના ગુજરાતનાં રમખાણોમાં નિર્દોષ લોકોને ફસાવવા માટે ખોટા પુરાવા એકત્ર ઘડ્યા હતા. આ આરોપોમાં તેમણે અમદાવાદ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાંચ (DCB)ની FIR પર 25 જૂન, 2022એ ગુજરાત પોલીસે ધરપકડ કરી હતી. તેમને સાત દિવસો સુધી પોલીસ રિમાન્ડમાં રાખવામાં આવ્યા હતા અને બીજી જુલાઈએ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવ્યા હતા.

આ મામલામાં તિસ્તાની સાથે એક વધુ આરોપી ભૂતપૂર્વ IPS આરબી શ્રીકુમારની પણ ધરપકડ થઈ હતી. આ પહેલાં રમખાણોમાં માર્યા ગયેલા કોંગ્રેસના સાંસદ અહસાન જાફરીનાં પત્ની જકિયા જાફરીની વિશેષ તપાસ ટીમની વિરુદ્ધ દાખલ અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી હતી. SIT દ્વારા દાખલ આરોપ પત્રમાં કહેવામાં આવ્યું હતું કે તિસ્તા સેતલવાડનાં રમખાણોમાં મોટા પાયે થયેલા મોત માટે તત્કાલીન મુખ્ય પ્રધાન મોદી, રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને ભાજપના ટોચના નેતાઓને ફસાવવાના પ્રયાસ કર્યા હતા. ગુજરાતનાં રમખાણોના કાવતરાના આરોપોથી તત્કાલીન મુખ્ય પ્રધાન મોદી અને અન્ય ક્લીનચિટ મળી ચૂકી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular