Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujaratકોંગ્રેસ કાર્યકરને હાઈકોર્ટે આપી રાહત..

કોંગ્રેસ કાર્યકરને હાઈકોર્ટે આપી રાહત..

અમદાવાદ: તારીખ 2 જુલાઈના રોજ કોંગ્રેસ કાર્યલય ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો થયો હતો. આ ઘર્ષણ બાદ બંને પક્ષ સહિત પોલીસને નુકસાન પહોંચાડવાની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે કોંગ્રેસ કાર્યકર્તા પ્રગતિ આહિર સહિતના નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ હતી. જેમાં સેશન્સ કોર્ટમાં જામીનની અરજી કરવામાં આવી હતી. જે બાદ સેશન્સ કોર્ટ દ્વારા કોઈ પણ જાતની રાહત આપવામાં આવી ન હતી. ત્યારે  પ્રગતિ આહિરે હાઈકોર્ટ ના દરવાજા ખખડાવ્યા હતા. હાઈકોર્ટે પ્રગતિ આહિરનાં આગોતરા જામીનની અરજી મંજૂરી કરી હતી. સાથે 5 તારીખે એલિસબ્રિજ પોલીસ સ્ટેશને હાજરી જણાવ્યું હતું.

કોંગ્રેસ ભવન ખાતે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે પથ્થરમારો મુદ્દે પોલીસ ઉપરાંત ભાજપ અને કોંગ્રેસે સામસામે ફરિયાદો નોંધાવી હતી. બનાવના દિવસે રાત્રે જ પોલીસ દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી હતી, તેમાં કોંગ્રેસના શહેઝાદ ખાન પઠાણ અને પ્રગતિ આહીર સહિત ભાજપ અને કોંગ્રેસના 150થી 250ના ટોળા સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. જે સંદર્ભે પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા અમદાવાદ સીટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મૂકી હતી, જેને કોર્ટે 23 જુલાઈના રોજ ફગાવી દીધી હતી. જેથી પ્રગતિ આહીરે પોતાની ધરપકડ ટાળવા હવે હાઈકોર્ટ પહોંચ્યા હતા.
કોર્ટે પ્રગતિ આહીરની જામીન અરજી ફગાવતા નોંધ્યું હતું કે, આ કેસમાં હજુ તપાસ બાકી છે અને ચાર્જશીટ થઈ નથી. આરોપીનું પોલીસ ફરિયાદમાં પહેલેથી જ નામ છે. આરોપીએ સુલેહ શાંતિનો ભંગ કર્યો છે. આરોપીની કસ્ટોડિયલ પૂછપરછની જરૂર છે. CCTVમાં આરોપીનો સક્રિય રોલ છત્તો થાય છે. પોલીસ કર્મચારીની ફરજમાં રૂકાવટ અને હુમલાના કેસમાં 10 વર્ષની સજા થઈ શકે છે. આરોપી રાજકીય પાર્ટી સાથે સંકળાયેલા હોવાથી કાયદો અને વ્યવસ્થા હાથમાં લઇ શકે નહીં. કોર્ટે પ્રગતિ આહીરની આગોતરા જામીન અરજી ફગાવી દીધી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular