Monday, June 9, 2025
Google search engine
HomeNewsGujaratખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, સાત હોસ્પિટલ અને ચાર ડોક્ટર સસ્પેન્ડ

ખ્યાતિકાંડ બાદ આરોગ્ય વિભાગ એક્શનમાં, સાત હોસ્પિટલ અને ચાર ડોક્ટર સસ્પેન્ડ

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં થયેલા દર્દીઓની જાણ બહાર ઓપરેશન કરી નાખી કાવતરાથી ગુજરાતભરમાં પડઘા પડ્યા છે. હોસ્પિટલ દ્વારા આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી PMJAY યોજના હેઠળ કૌભાંડ આચરવામાં આવે છે તે પણ બહાર આવ્યું હતું. જેને લઈને આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવ્યા હતાં. હાલ, આ તપાસ હેઠળ કરેલી કાર્યવાહીમાં સ્વાતિ હોસ્પિટલ સહિત સાત હોસ્પિટલોને સસ્પેન્ડ કરવામાં આવી છે. જેમાં અમદાવાદની ત્રણ, સુરત, વડોદરા અને રાજકોટની 1-1 હોસ્પિટલ તેમજ ગીર સોમનાથની હોસ્પિટલને પણ સસ્પેન્ડ કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, હોસ્પિટલની સાથે-સાથે મલ્ટિસ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરો સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે. જે હેઠળ આરોગ્ય વિભાગ દ્વારા ચાર ડૉકટરોને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ખ્યાતિ હોસ્પિટલનો ડૉ. પ્રશાંત વજીરાણી પણ સામેલ છે. આરોગ્ય વિભાગ દ્વારા આ મામલે હજુ વધુ તપાસ કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન હજુ જો અન્ય કોઈ હોસ્પિટલ કે ડૉક્ટરના આ કૌભાંડમાં નામ સામે આવશે તો તે તમામની સામે પણ આ પ્રકારની જ કડક કાર્યવાહી કરવામાં આવશે. નોંધનીય છે કે, આ તમામ હોસ્પિટલ અને ડૉક્ટર્સ સામે હજુ સુધી ફોજદારી ગુના હેઠળ કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. આ મામલો વકરતા આરોગ્ય વિભાગ તાત્કાલિક સક્રિય થઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. ત્યારબાદથી ફ્રી મેડિકલ કેમ્પથી લઈને PMJAY કૌભાંડ સુધીના એક પછી એક કૌભાંડ સામે આવી રહ્યા છે. આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન હજુ અન્ય કૌભાંડ તેમજ ખ્યાતિ હોસ્પિટલ સિવાયની પણ અન્ય હોસ્પિટલોના તેમાં નામ બહાર આવે તેવી સંભાવના છે.

કડીમાં બોરીસણા ગામે ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. અહીં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જિયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીનું મોત નિપજ્યુ હતું. જેના કારણે પરિવારજનોએ હોબાળો કરતાં સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. પરિવારે હોસ્પિટલમાં સામે વિરોધ કરી આરોપ લગાવ્યો હતો કે, હોસ્પિટલે આયુષ્યમાન કાર્ડનો દુરૂપયોગ કરી પૈસા પડાવવા માટે અમારી જાણ બહાર દર્દીને સ્ટેન્ટ મૂકી દીધું હતું. જેના કારણે બે દર્દીના મોત થયા છે. ચોંકાવનારી વાત તો એ છે કે, દર્દીઓને સ્ટેન્ટ મૂકનાર ડૉ.પ્રશાંત વજીરાણી તો માત્ર પ્યાદુ રહ્યું છે પણ અસલી વિલન તો હોસ્પિટલના સંચાલક છે. જે ડૉક્ટરોને ટાર્ગેટ આપીને નિર્ધારિત સમયમાં હાર્ટ સર્જરી કરવા દબાણ કરતા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular