Friday, October 3, 2025
Google search engine
HomeNewsGujaratહાટકેશ્વર બ્રિજનો ખર્ચ 118 કરોડ સુધી પહોંચ્યો, AMC પર ઉઠ્યા પ્રશ્ન

હાટકેશ્વર બ્રિજનો ખર્ચ 118 કરોડ સુધી પહોંચ્યો, AMC પર ઉઠ્યા પ્રશ્ન

અમદાવાદ: પાછલા ઘણા સમયથી હાટકેશ્વર વિસ્તારનો બ્રિજ ચર્ચામાં રહ્યો છે. હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ દિવસેને દિવસે વધી રહ્યો છે. નોંધનિય છે કે 42 કરોડના ખર્ચે બનેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 118 કરોડ રૂપિયા થશે. આપને જણાવી દઈએ કે 2 મહિના પહેલા ભાજપના નેતાઓએ મોટા મોટા દાવો કર્યો હતો કે, હાટકેશ્વર બ્રિજને તોડીને ફરી નવો બનાવવા પાછળ 52 કરોડનો ખર્ચ થશે અને આ તમામ ખર્ચ અગાઉના કોન્ટ્રાક્ટર પાસેથી વસૂલવામાં આવશે.

હાટકેશ્વર બ્રિજને લઈને અમદાવાદ મહાનગરપાલિકાના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે ફરી એક વખત AMC પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે, ‘બે મહિના પહેલા હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળનો ખર્ચ 55 કરોડ હતો જ્યારે હવે બે મહિના પછી જ તેનો ખર્ચ વધીને 118 કરોડ પહોંચી ગયો છે. અમદાવાદ મહાનગરપાલિકામાં સૌથી મોટો ભ્રષ્ટાચાર થયો હોય તો એ છે હાટકેશ્વર બ્રિજમાં થયો છે. 2017માં 42 કરોડના ખર્ચે બનાવેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર થતા પાંચ વર્ષ પછી આ બ્રિજ જનતા માટે બંધ કરવામાં આવ્યો હતો. હાટકેશ્વર બ્રિજનો બે વર્ષ પછી પણ કોઈ નિકાલ આવ્યો નથી. 2 મહિના પહેલા ભાજપના નેતાઓ 52 કરોડમાં બ્રિજને તોડીને નવો બનાવવાનો દાવા કર્યા હતા અને હાલમાં બ્રિજની કોસ્ટ 118 કરોડએ પહોંચી ગઈ છે. હાલમાં અધિકારીઓ તરફથી જાણવા મળી રહ્યું છે કે હાટકેશ્વર બ્રિજને તોડીને નવો બનાવવા પાછળ 118 કરોડનો ખર્ચ થશે. બીજી તરફ અમદાવાદની જનતા ટ્રાફિકથી પરેશાન થઈ રહી છે અને તેનો કોઈ નિકાલ નથી આવી રહ્યો. હાટકેશ્વર બ્રિજ મામલે પાંચ વર્ષથી ભાજપના નેતા અમદાવાદ શહેરની જનતાને વાયદા ઉપર વાયદા આપી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular