Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratપ્રધાનમંત્રીના જન્મદિવસે ગુજરાતને મળશે આ ખાસ ભેટ

પ્રધાનમંત્રીના જન્મદિવસે ગુજરાતને મળશે આ ખાસ ભેટ

આવતીકાલ એટલે કે 17 સપ્ટેમ્બર 2023 એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જન્મદિવસ છે. ત્યારે ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સહયોગથી રાજ્યની સરકારી હોસ્પિટલો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવશે.

નોંધનીય છે કે પીએમ મોદીના જન્મદિને ગુજરાત રેડ ક્રોસ સોસાયટી અને ગુજરાત સરકારના સહયોગથી રાજ્યની 73 જેટલા સરકારી હોસ્પિટલો ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રો ખુલ્લા મુકવામાં આવશે. ભારત સરકારના આરોગ્ય મંત્રી ડોક્ટર મનસુખભાઈ માંડવીયા અને ગુજરાત રેડ ક્રોસ સોસાયટીના ચેરમેન અજય પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ પીડીયુ હોસ્પિટલ ખાતે અને ગુજરાત સરકારના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ તથા અમદાવાદની સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધી કેન્દ્રનું ઉદઘાટન કરશે.

રાજ્યના આદિજાતિ અને અંતરિયાળ વિસ્તારોમાં આ સેવાનો શુભારંભ આવતીકાલથી થઈ જશે જેમાં શહેરી વિસ્તારોમાં 35 આદિજાતિ વિસ્તારમાં 25 અને અંતરિયાળ વિસ્તારમાં 13 જેટલા જન ઔષધી કેન્દ્રોનો આવતી કાલે પ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તેથી ખુલ્લા મુકાશે.

ઉલ્લેખનીય છે જન ઔષધી કેન્દ્રોમાં 2500 જેટલી જેનરીક દવાઓનો લાભ દર્દી રાહત દરે લઈ શકશે. આ સાથે જ અત્યારે જેટલા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર જે શરૂ કર્યા છે તેમાં આગળ જતા ક્રમશ જરૂરિયાત મુજબ વધારો પણ કરવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular