Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsGujaratવિધાનસભા સત્ર: કોંગ્રેસની ગેરહાજરીથી એકતરફી ચર્ચા

વિધાનસભા સત્ર: કોંગ્રેસની ગેરહાજરીથી એકતરફી ચર્ચા

ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર ચાલી રહ્યું છે. તો બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસે તેના તમામ ધારાસભ્યોને જયપુર મોકલી દીધા છે. આ પહેલા કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેતા કોંગ્રેસને પગે રેલો આવ્યો છે.

આ દરમ્યાન આજે ગાંધીનગર ખાતે વિધાનસભા ગૃહની કાર્યવાહી યથાવત રાખવામાં આવી હતી જેમાં શહેરી વિકાસ અ ગૃહ નિર્માણ વિભાગ પર ચર્ચા કરવામાં આવી હતી. આ ચર્ચામાં વિપક્ષના એક પણ ધારાસભ્ય હાજર રહ્યા ન હતા. વિપક્ષી ધારાસભ્યો હાલ જયપુર ખાતે રિસોર્ટ્સમાં છે અને તેઓ 25 માર્ચે પરત ફરતે અને 26 માર્ચે રાજ્યસભાની ખાલી પડેલી બેઠકો માટે મતદાન થશે.

એટલે કે આગામી 25 માર્ચ સુધી કોંગ્રેસના ધારાસભ્યોની ગેરહાજરીથી વિધાનસભાના બજેટ સત્રની કામગીરી એકતરફી રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular