Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતના શિક્ષકો ફરી મેદાને આવશે, 17 તારીખ સુધીનો આપ્યો સમય

ગુજરાતના શિક્ષકો ફરી મેદાને આવશે, 17 તારીખ સુધીનો આપ્યો સમય

અમદાવાદ: ગુજરાતમાં પાછલા કેટલાક સમયથી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટે સરકારને અનેક રજૂઆત કરવામાં આવી છે. જેમાંથી સરકાર સાથે બેઠક કરીને કેટલીક માગણીઓ પૂરી કરવા માટે સરકારે બાંહેધરી આપી હતી. પરંતુ તે અંગે હજુ સુધી સરકાર દ્વારા કોઈ પરિપત્ર કરવામાં આવ્યો નથી. ત્યારે ફરી એકવાર શિક્ષક સંઘ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખીને 17 સપ્ટેમ્બર સુધીનો સમય સરકારને આપ્યો છે. જો માંગણી નહીં સ્વીકારાય તો આંદોલનની ચીમકી આપી છે.

ગુજરાતમાં પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના 5 હજાર જેટલા શિક્ષકોએ જૂની પેન્શન યોજના લાગુ કરવાની માગ સાથે ગાંધીનગર ખાતે દેખાવ કર્યા હતા. તારીખ 01/04/2005 પહેલાં ભરતી થયેલા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક અન્ય કેડરના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ આગાઉ સરકાર સાથે બેઠક કરી હતી. જેમાં શિક્ષકોને પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે તેમ કહેવામાં આવ્યું હતું. પરંતુ હજુ સુધી સરકારે ઠરાવ જાહેર કર્યો નથી. જેને લઈને રાજ્યના શિક્ષણ વિભાગના કર્મચારીઓએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. રાજ્યમાં હાલ 1/04/2005 પહેલાના આશરે 65,000 જેટલાં કર્મચારીઓ છે. જેમને સરકાર દ્વારા હજી ઠરાવ કરીને તેમનો પેન્શનનો હક આપવામાં આવ્યો નથી.આપને જણાવી દઈએ કે, જૂની પેન્શન યોજના અંતર્ગત નિવૃત કર્મચારીઓને પેન્શનનો અધિકારી હતો. જેમાં નિવૃતિ સમયે નોકરીના પગારના 50 ટકા રકમ પેન્શન તરીકે મળવાપાત્ર રહેતી. આમાં કર્મચારી જેટલી બેજિક પે સ્કેલ પર નોકરી પૂરી કરે છે તેટલું તેના નિવૃતિ સમયે તેના અડધો ભાગ પેન્શન સ્વરૂપે આપવામાં આવે છે. જૂની પેન્શન યોજનામાં નિવૃત્તિ પછી કર્મચારીને કાર્યકારી કર્મચારીની જેમ મોંઘવારી ભથ્થું અને અન્ય ભથ્થાઓનો લાભ મળતો રહે છે, એટલે કે જો સરકાર કોઈપણ ભથ્થામાં વધારો કરે છે, તો તે મુજબ પેન્શનમાં વધારો થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular