Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratફ્રાન્સથી પરત ફરેલા પેસેન્જરો સાથે ગુજરાત પોલીસ કરશે સમન્વય

ફ્રાન્સથી પરત ફરેલા પેસેન્જરો સાથે ગુજરાત પોલીસ કરશે સમન્વય

અમદાવાદઃ ગુજરાત પોલીસે એજન્ટોથી જોડાયેલા એક સંદિગ્ધ ગેરકાયદે ઇમિગ્રેશન નેટવર્કની તપાસ  કરવા માટે ટીમોની રચના કરી છે અને ફ્રાન્સથી મુંબઈમાં ઊતરનારા વિમાનના પ્રવાસીઓની સાથે સમન્વય કરશે, એમ એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી હતી. આ વિમાનમાં કેટલાય પ્રવાસી ગુજરાતથી છે.

એરબસ A340માં 276 પેસેન્જરો હતા, જેમાં મોટા ભાગના ભારતીય હતા. તેમને માનવ દાણચોરીના સંદેહમાં ચાર દિવસો માટે ફ્રાંસમાં અટકાવવામાં આવ્યા હતા. તેમને મંગળવારે સવારે મુંબઈમાં ઉતારવામાં આવ્યા હતા.

CID ક્રાઇમ એ એજન્ટોની વિરુદ્ધ કાર્યવાહી કરવા ઇચ્છે છે, જેમણે પીડિતોને અમેરિકા અને અન્ય દેશોમાં ગેરકાયદે રીતે પ્રવેશ કરવામાં મદદ કરવાનાં વચનો આપ્યાં હતા. અમે ચાર ટીમો બનાવી છે, જે પીડિતોથી એ એજન્ટો દ્વારા તેમને કરવામાં આવેલાં વચનો વિશે માહિતી એકત્ર કરે એમ CID ક્રાઇમના સુપરિટેન્ડેન્ટ ઓફ પોલીસ સંજય ખરાતે જણાવ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ફ્રાંસથી પરત પરત ફરેલા ચાર્ટર્ડ પ્લેનમાં મોટા ભાગના પેસેન્જરો ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા અને આણંદ જિલ્લાના હતા. પેસેન્જરો જ્યારે મુંબઈથી ગુજરાત પહોંચશે તો પોલીસ તેમની સાથે સમન્વય કરશે, જેથી એમાં સામેલ એજન્ટો અને એજન્સીઓ વિશે માહિતી મળી શકે અને એ પણ માલૂમ પડે કે શું તેમને અમેરિકા અને અન્ય દેશોમાં પ્રવાસ માટે આપવામાં આવેલા દસ્તાવેજો નકલી છે? વળી, કેટલા લોકોને આ રીતે વિદેસ મોકલવામાં આવ્યા છે અને કોણ લોકો છે, જે આ પ્રકારે પ્રવાસ કરવાનું ઇચ્છે છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular