Sunday, June 22, 2025
Google search engine
HomeNewsGujaratભગવાન શ્રીરામના રંગમાં રંગાયું ગુજરાત

ભગવાન શ્રીરામના રંગમાં રંગાયું ગુજરાત

અમદાવાદઃ ગુજરાત હવે ભગવાન રામના રંગમાં રંગાઈ ચૂક્યું છે. નાના ગામથી માંડીને મોટા શહેરોમાં અત્યાર સુધી એવા કાર્યક્રમ થઈ રહ્યા છે. રાજકોટમાં કથાકાર પૂજ્ય રમેશભાઈ ઓઝાની કથા શરૂ થઈ ગઈ છે અને એને ભાગવતનું રામ નામ આપવામાં આવ્યું છે.

રામ કથાના આયોજક અને રાજ્યસભાના સાંસદ રામભાઈ મોકરિયા જણાવે છે કે રાજકોટમાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને રમેશભાઈ ઓઝાની કથા દરમ્યાન ઉત્સાહની સાથે જોડાશે. રાજકોટમાં અમે મોટી સ્ક્રીન પર એ કાર્યક્રમ જોઈશું અને હજારો લોકો સાક્ષી બનશે. પૂજ્ય ભાઈશ્રી સરળ શબ્દોમાં રામોત્સવને લોકોની વચ્ચે રાખી રહ્યા છે. એ કથા યાદગાર બની ગઈ છે.

અમદાવાદમાં ભગવાન રામના જીવન પર રામાયણનું મંચન થઈ રહ્યું છે. સુરત અને અમદાવાદમાં છેલ્લા 24 દિવસોથી મંદિર પર લાગતી ધ્વજા અને પતાકા લાખ્ખોની સંખ્યામાં વેચાઈ રહી છે. ગુજરાતમાંથી દૈનિક ધોરણે નવ લાખ ધ્વજ અને છ લાખ ખેસ દેશઆખામાં સપ્લાય થઈ રહ્યા છે એવું સુકાભાઈએ કહ્યું હતું.

આ ઉપરાંત શિલ્પકાર પંચાલભાઈએ ટ્રક પર અનોખો રામ રથ બનાવ્યો છે. આ રથની આગળ છ ફૂટ ઊંચી હનુમાનજીની મૂર્તિ આ રથનું આકર્ષણ છે. અમદાવાદમાં એ ટ્રક અલગ-અલગ વિસ્તારમાં ફરી રહ્યો છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular