Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હરિયાણામાં કર્યું મતદાન

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હરિયાણામાં કર્યું મતદાન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ લોકતંત્રના મહાપર્વમાં એક નાગરિક તરીકેના પોતાના કર્તવ્યોનું પાલન કરતાં આજે પરિવારજનો સાથે હરિયાણાના કુરુક્ષેત્રના મિર્ઝાપુરમાં સરકારી પ્રાથમિક શાળામાં બુથ નંબર 157માં મતદાન કર્યું હતું.

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં આજે હરિયાણામાં મતદાન થઈ રહ્યું છે. મતદાન મથકમાંથી બહાર આવીને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતએ કહ્યું કે, “ભારતના સંવિધાને પ્રત્યેક વયસ્ક ભારતીયને મત આપવાનો અધિકાર આપ્યો છે. એટલે આપણું  નૈતિક કર્તવ્ય છે કે, રાષ્ટ્ર નિર્માણ માટે, રાષ્ટ્રના ઉત્થાન માટે, કલ્યાણ માટે, સર્વાંગીણ વિકાસ માટે મતનો અવશ્ય ઉપયોગ કરીએ.

તેમણે કહ્યું કે, જીવનમાં અનેક કામો આપણી અગ્રતાના હોય છે. પરંતુ મતદાનના દિવસે અગત્યના અનેક કામો છોડીને પણ નાગરિક તરીકેના કર્તવ્યનું પાલન કરતાં અવશ્ય મતદાન કરવું જોઈએ. હું પણ મતદાન માટે જ આજે ગુજરાતથી અહીં હરિયાણા આવ્યો છું.” આવો, લોકશાહીના આ મહાપર્વમાં ભાગ લો અને નાગરિક તરીકેની જવાબદારીઓનું પાલન કરો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular