Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratલોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે લીધા આ મહત્વના નિર્ણયો

લોકડાઉન વચ્ચે રાજ્ય સરકારે લીધા આ મહત્વના નિર્ણયો

ગાંધીનગર: કોરોના વાઈરસને પગલે ચાલી રહેલા લોકડાઉન વચ્ચે રાજ્યસરકારે કેટલાક મહત્વના નિર્ણયો લીધા છે. જે હેઠળ રાજ્યમાં ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવાના મહત્વાકાંક્ષી અભિયાન સુજલામ સુફલામ જળ અભિયાનનો રાજ્યવ્યાપી ત્રીજો તબક્કો તા. ર૦ એપ્રિલથી તા. ૧૦ જૂન-ર૦ર૦ દરમ્યાન પૂર્ણ કરવાનો નિર્ણય કર્યો છે.

આ હેતુસર રૂ. ૪૧૪ કરોડના ખર્ચે ૧૪,૬૯૪ કામો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કામોમાં મુખ્યત્વે જળસંચયના કામો, મનરેગા અંતર્ગત તેમજ લોકભાગીદારીથી હાથ ધરાશે. લોકભાગીદારીથી હાથ ધરાનારા કામોમાં સરકારનો ફાળો ૬૦ ટકા રહેશે. આ કામોમાં પ્રવર્તમાન કોવિડ-૧૯ કોરોના વાયરસ સંદર્ભે સરકાર દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ, માર્ગદર્શિકાઓ તેમજ ભવિષ્યમાં પણ આ અંગે અપાનારી સૂચનાઓનું પાલન કરવાનું રહેશે. સુજલામ સુફલામ જળ અભિયાનના કામો અંતર્ગત ખોદાણમાંથી મળતી માટીનો વપરાશ આસપાસના પ્રગતિ હેઠળના સરકારી કામો, ખેડૂતોના ખેતરમાં તેમજ જાહેર કામોમાં કરવામાં આવશે.

રાજ્યના ઘઉં પકવતા ખેડૂતોના હિતમાં અન્ય એક નિર્ણય લઇને રવિ સિઝન ર૦ર૦-ર૧માં ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવ મળે તેવા ઉદાત્ત ભાવથી આગામી ર૭ એપ્રિલથી ૩૦ મી મે-ર૦ર૦ સુધી ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમના ગોડાઉન ખાતે કરવાની જાહેરાત કરી છે. ઘઉંનું ખરીદી માટેનું રજિસ્ટ્રેશન ર૭ એપ્રિલથી ૧૦ મે-ર૦ર૦ સુધી કરાવવાનું રહેશે. રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં આવા ર૭૮૦૦ ઊદ્યોગ એકમો શરૂ કરવાની પરવાનગીઓ અપાઇ છે અને અંદાજે ૧ લાખ ૮૦ હજાર શ્રમિકો કામદારો આવા ઊદ્યોગોમાં રોજગાર મેળવતા થયા છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે મંગળવારે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ ટેલિફોનિક સંપર્ક કરીને ગુજરાતના વેરાવળમાં પ્રવર્તમાન સ્થિતીમાં ફસાયેલા આંધ્રપ્રદેશના માછીમારો અંગે વાતચીત કરી હતી. ગુજરાત સરકાર દ્વારા આંધ્રપ્રદેશના આ માછીમારો માટે રહેવા-જમવાની વ્યવસ્થાઓ કરવામાં આવેલી છે અને તેમની સલામતિ-આરોગ્યની ચિંતા રાજ્ય સરકારે કરી છે. એટલું જ નહિ, હવે સમુદ્રમાં માછીમારી માટે જવાની છૂટ રાજ્ય-કેન્દ્ર સરકારે આપેલી છે ત્યારે આ માછીમારો વેરાવળના દરિયામાં માછીમારી પ્રવૃત્તિ માટે પણ જાય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular