Friday, June 13, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં કોરોનાના નવા 510 કેસઃ 34 લોકોના મોત

ગુજરાતમાં કોરોનાના નવા 510 કેસઃ 34 લોકોના મોત

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસનો રાફડો ફાટ્યો છે. આજે  આ આંકડો ફરી 500ને પાર કરી ગયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 510 કેસ નોંધાયા છે. તો આ દરમિયાન 34 લોકોના મૃત્યુ પણ થયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 370 દર્દીઓને સાજા થયા બાદ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 21,554 પર પહોંચી છે. તો અત્યાર સુધી કુલ 1347 લોકોના મૃત્યુ થયા છે. સારવાર બાદ કુલ 14743 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 343 કેસ નોંધાયા છે. તો સુરતમાં 73, વડોદરામાં 35, ભાવનગરમાં 8, ખેડામાં 6, રાજકોટમાં 5, મહેસાણા 4, અરવલ્લી 4, સાબરકાંઠા 4, આણંદ 4, સુરેન્દ્રનગર 4, ગાંધીનગર, કચ્છ, જામનગર, ભરૂચ, જુનાગઢ, પોરબંદર, મોરબીમાં બે-બે કેસ નોંધાયા છે. તો પંચમહાલ, પાટણ અને છોટાઉદેપુરમાં એક-એક કેસ સામે આવ્યો છે. આ સાથે અન્ય રાજ્યના ત્રણ કેસ નોંધાયા છે.

રાજ્યભરમાં છેલ્લા 24 કલાકમાં 34 લોકોના મૃત્યુ થયા છે. જેમાં અમદાવાદમાં 26, સુરત અને અરવલ્લીમાં 2-2, ગાંધીનગર, ભાવનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા એક-એક વ્યક્તિના મૃત્યુ થયા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular