Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratઅમદાવાદમાં 146મી રથયાત્રાઃ CM પટેલે કરી પહિંદવિધિ

અમદાવાદમાં 146મી રથયાત્રાઃ CM પટેલે કરી પહિંદવિધિ

અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રાનો આજે સવારથી અહીં આરંભ થયો છે. ભગવાન નગરચર્યા પર નીકળ્યાં છે. પરંપરા અનુસાર, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે વહેલી સવારે ભગવાનના રથની પહિંદવિધિ કરીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.

મુખ્ય પ્રધાન તરીકે ભૂપેન્દ્ર પટેલે આ પહેલી વાર પહિંદવિધિ કરી હતી. એમણે સોનાની સાવરણીથી ભગવાનના રથની પ્રતિકાત્મક સફાઈ કરી હતી.

રથયાત્રા પ્રસંગે એમણે લોકો માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી કે ભગવાન જગન્નાથ સહુને સારું સ્વાસ્થ્ય, સુખાકારી અને સમૃદ્ધિ પ્રદાન કરે.

(તસવીર સૌજન્યઃ @CMOGuj)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular