Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratરેશનકાર્ડનું e-KYC ઝડપી-સરળ બનાવવા સરકારની કવાયત

રેશનકાર્ડનું e-KYC ઝડપી-સરળ બનાવવા સરકારની કવાયત

ગુજરાતના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. જેમાં અધિકારીઓ દ્વારા સતત મોનીટરીંગ ચાલી રહ્યું છે. સરકારી અનાજ સહિત વિવિધ સરકારી સ્કીમોનો લાભ મેળવવા માટે રેશનકાર્ડને આધારકાર્ડ સાથે લિંક-અપ કરવા માટે સરકાર દ્વારા ચોક્કસ સમય મર્યાદા નક્કી કરવામાં આવી છે. તેવામાં અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં કુલ 2.75 કરોડ લોકોના e-KYC કર્યા.

કુંવરજીભાઈ બાવળીયાએ જણાવ્યું છે કે, રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ થકી, જ્યારે ગ્રામ પંચાયત સ્તરે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યું છે. આમ, માય-રેશન એપ, ગ્રામ પંચાયત, જનસેવા કેન્દ્રો, પોસ્ટ ઓફિસ, બેંક, આંગણવાડી વગેરેના માધ્યમથી અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 2.75 કરોડથી વધુ નાગરિકોનું e-KYC સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યુ છે. તેમ અન્ન-નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ આજે ગાંધીનગર ખાતે જણાવ્યું હતું.  આ સાથે હાલમાં રાજ્યમાં જનસેવા કેન્દ્રો હસ્તક 546, ગ્રામ પંચાયતોમાં 506, શિક્ષણ વિભાગ પાસે 226, આંગણવાડીમાં 311 તેમજ પોસ્ટ-બેંક હસ્તક 2,787 થઈને કુલ 4,376 જેટલી આધારકીટ કાર્યરત છે. જેમાં e-KYCમાં નાગરિકોને વધુ સરળતા રહે તે માટે નવી 1,000 આધારકીટ એક્ટિવ કરાશે. આધારકાર્ડ અને રેશન કાર્ડના લઈને કુંવરજીભાઈએ કહ્યું કે, પુરવઠા વિભાગ હેઠળ e-KYC થાય છે, પરંતુ તેનો સંપૂર્ણ આધાર UID એટલે કે આધારકાર્ડ પર છે. આધાકાર્ડના નામ-અટકમાં સુધારો ન થાય ત્યાં સુધી e-KYC થતું નથી. આધારકાર્ડનું કામ GAD પ્લાનિંગ તરફથી થાય છે. આધારકાર્ડની કીટની સંખ્યા વધારવા અને કીટના પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે ગાંધીનગર ખાતે કંટ્રોલરૂમ પણ કાર્યરત છે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરોને પોસ્ટ અને બેંક સાથે સંકલન કરીને આધારકીટ કાર્યરત રાખવા અને સતત મોનીટરીંગ કરવાની આયોજન વિભાગ તરફથી સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular