Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratસરકારનો મોલ-મલ્ટિપ્લેક્સ અને શૈક્ષણિક કાર્ય બે સપ્તાહ સુધી બંધ રાખવાનો આદેશ

સરકારનો મોલ-મલ્ટિપ્લેક્સ અને શૈક્ષણિક કાર્ય બે સપ્તાહ સુધી બંધ રાખવાનો આદેશ

અમદાવાદઃ રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે કોરોના વાઇરસ સામે તકેદારી સ્વરૂપે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને રાજ્યમાં આરોગ્ય સંલગ્ન સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં સરકારે રાજ્યમાં શાળા-કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય 16 માર્ચથી બે સપ્તાહ સુધી એટલે કે 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જ્યારે બોર્ડ પરીક્ષાઓ યથાવત્ રહેશે.

મુખ્ય સચિવ અનિલ મૂકિમ અને આરોગ્ય અગ્ર સચિવ ડો. જયંતિ રવિ એ આ બેઠકની વિગતો આપતાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના વાઇરસ સામે તકેદારી અને સાવચેતીના આગોતરા પગલાં રૂપે રાજ્ય સરકારે કેટલાક મહત્વના નિર્ણયો કર્યા છે.-

  • રાજ્યમાં શાળા-કોલેજો શૈક્ષણિક સંસ્થાઓમાં શૈક્ષણિક કાર્ય આવતી કાલથી બે સપ્તાહ માટે બંધ રહેશે.
  • હાલમાં જે બોર્ડ પરીક્ષાઓ ચાલી રહી છે એ યથાવત રહેશે
  • રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે*
  • રાજ્યમાં જાહેર સ્થળો એ થુકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે એટલું જ નહિ જો કોઈ વ્યક્તિ આ પ્રતિબંધ નો ભંગ કરશે તો 500 રૂપિયા નો દંડ  સ્થાનિક સ્વરાજ્ય ની સંસ્થાઓ દ્વારા કરવામાં આવશે*
  • રાજ્ય સરકારે તમામ ધાર્મિક સંસ્થાઓ  સંપ્રદાયો ને પોતાના મેળાવડાઓ ધર્મ કાર્યક્રમો આગામી બે સપ્તાહ સુધી ના યોજવા પણ અનુરોધ કર્યો છે*
  • રાજ્યના સિનેમા ઘરો સ્વિમિંગ પુલ પણ બંધ રહેશે.રાજ્યમાં જાહેર સ્થળો એ થૂંકવા પર પ્રતિબંધ લાગુ કરવામાં આવ્યો છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular