Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratમાછીમારો માટે માઠા સમાચાર, દરિયો ના ખેડવાનો કરાયો આદેશ

માછીમારો માટે માઠા સમાચાર, દરિયો ના ખેડવાનો કરાયો આદેશ

દેશમાં કેરળથી ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે 15 જૂન થી તો હવામાન નિષ્ણાત આંબાલાલ પેટલના પ્રમાણે આગામી 4 જૂનથી ગુજરાતમાં મેઘરાજાની પધરામણી થઈ શકે છે. ત્યારે આ બાજું અરબી સમુદ્રમાં લો પ્રેસર સર્જાતા હવામાનમાં પણ ફેરફાર જોવા મળી રહ્યો છે.ટ

રાજ્ય હવામાન વિભાગે અરબી સમુદ્ર કિનારે આવેલ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કર્યું છે. સાથે દરિયામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. નજીકના બંદર ઉપર બોટ લાંગરી દેવા માટે સૂચના આપવા આવી છે. રાજ્યમાં હવામાન વિભાગે સમુદ્ર કિનારે આવેલ વિસ્તારોમાં 70થી 80 કિમિ ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

રાજ્ય હવામાન વિભાગે ગુજરાત રાજ્યમાં આવેલા 1600 કિલોમીટરના દરિયા કિનારે વિસ્તારમાં સામાન્ય કરતા વધુ ઝડપે પવન ફૂંકાવવાની આગાહી આપી છે. જેને લઈને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં માછીમારોને દરિયો ન ખેડવાની સુચના આપવામાં આવી છે. આ ઉપરાંત માછીમારોની સુરક્ષાને ધ્યાનમાં રાખી જુન, જુલાઈ દરમિયાન દરિયો ન ખેડવાનો આદેશ પણ આપવામાં આવ્યો છે. 1લી જુનથી માછીમારો બોટ લાંગરી બોટમાં રીપેરીંગ કામગીરી હાથ ધરતા હોય છે. આ વર્ષે હવામાન ખરાબ રહેતા તમામ માછીમારોને માછીમારીની સીઝનના 2 દિવસ પહેલા માછીમારી બંધ કરવા સૂચના આપવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular