Monday, July 21, 2025
Google search engine
HomeNewsGujaratઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે 4 મહિના સુધી રહેશે બંધ..

ઘુડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે 4 મહિના સુધી રહેશે બંધ..

શિયાળાના સમયમાં વિદેશી પક્ષીઓ કચ્છના નાના રણના મહેમાન બનતા હોય છે. અને આ સમય દરમિયાન કેટલા પક્ષી પ્રેમીઓ તેમણે નિહાળવામાં આવતા હોય છે. જ્યારે આ રણમાં આવેલા ઘુડખર એક દુર્લભ્ય પ્રાણી છે. અને બીજે ક્યાંય જોવા નથી મળતા. જે આ કચ્છના નાના રણમાં જોવા મળે છે. હાલ ચોમાસાની સિઝન શરૂ થવાની તૈયારીમાં છે.જ્યારે આજથી 15 ઓક્ટોબર સુધી આ અભયારણ્ય બંધ રહેશે.

ચોમાસા સમયમાં આ અભિયારણ બંધ રાખવામાં આવે છે કેમ કે આ સમય ઘુડખર પ્રાણીઓને બ્રીડીંગ પિરિએડ ગણાય છે. જેથી દર વર્ષે ચોમાસા સમયમાં આ બંધ રાખવામાં આવે છે. આ વર્ષે હાલના સમય પર અભ્યારણ બંધ કરવામાં આવ્યુ છે જે આગામી 15 ઓક્ટોબર સુધી બંધ જ રહેશે.

દર વર્ષે અહીંયા આવતા પ્રવાસીઓની સંખ્યામાં ઉતરોતર વધારો થઈ રહ્યો છે. દર પાંચ વર્ષે ઘુડખરની ગણતરી કરવામાં આવે છે છેલ્લે 2020માં થયેલ ગણતરી મુજબ હાલ ઘુડખરની સંખ્યા 6082 જેટલી હતી. આ વર્ષે પણ 2023-24 માટે ઘુડખરની નવી ગણતરી કરવામાં આવી હતી. જેની સંખ્યા આગામી દિવસોમાં સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.

આજથી આ અભ્યારણ પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું છે .જે આગામી 16 ઓક્ટોબરના રોજ પ્રવાસીઓ માટે ખોલવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, વન્યજીવોને બચાવવા તેમજ તેનું જતન કેવી રીતે કરવું તેનું માર્ગદર્શન અને આ વિસ્તારમાં આવતા વન્ય પ્રાણીઓ વિશે માહિતી વિદ્યાર્થીઓને મળે તે માટે તંત્ર દ્વારા નિઃશુલ્ક શિબિર પણ કરવામાં આવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular