Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratનવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર નહીં રમાય ગરબા

નવરાત્રિમાં રાત્રે 12 વાગ્યા બાદ લાઉડ સ્પીકર નહીં રમાય ગરબા

નવરાત્રિને લઈ જાહેર જનતા સહિત તંત્ર પણ સજ્જ છે. તહેવારના ગણતરીના કલાકો બાકી છે. ત્યારે રાજકોટ જિલ્લા પોલીસ કમિશનરનું જાહેરનામુ સામે આવ્યું છે. જેમાં રાત્રિના સમયે 12 પછી લાઉડ સ્પીકર વગાડવા પર પ્રતિબંધ છે. તેમજ તારીખ 3થી 12 ઓક્ટોબર સુધી જાહેરનામું અમલી રહેશે. જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ મોડી રાત સુધી સાઉન્ડ સિસ્ટમ ઉપર ગરબા રમવાની ખેલૈયાઓની ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યુ છે. જેમાં 12 વાગ્યા બાદ ક્યાંય પણ માઇક કે સાઉન્ડ સિસ્ટમ ચાલુ હશે તો પગલાં લેવામાં આવશે.

ગઇકાલે અમદાવાદમાં DCPએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, અમદાવાદમાં નવરાત્રિમાં કોમર્શિયલ ગરબા માટે 80 અરજી મળી છે. આથી શહેરમાં નવરાત્રિ સારી રીતે થઈ શકે તે માટે અમદાવાદ પોલીસના અધિકારીઓ બંદોબસ્તમાં રહેવાના છે. શી ટિમમાં મહિલા અધિકારી, ટ્રાફિક જવાન અનેં સ્થાનિક પોલીસ કર્મીઓ હાજર રહેશે. આ સાથે ધ્વનિ પ્રદુષણ ન થાય તે મુજબની ગાઇડલાઈ નું પાલન કરાશે. આ સાથે કોઈ અઘટિત ઘટના ના બને તે માટે પણ ખાસ તકેદારી રાખવામાં આવશે. DCP ના નિવેદન પ્રમાણે કોમર્શિયલ ધોરણે cctv રાખવા, લાઉડ સ્પીકર 12 વાગ્યા સુધી મહિલા પુરુષ એન્ટ્રી ગેટ અલગ, પાર્કિંગ વ્યવસ્થા, પાર્કિંગ વહિકલનીં વિગત સહિત તકેદારી રાખવા આયોજકોને સૂચનાઓ આપવામાં આવી છે. આ સાથે સાથે વ્યવસન કરી કોઈ ન આવે તેની તકેદારી રાખવા માટે પણ આયોજકોને સૂચનાઓ અપાઈ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular