Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsGujaratગોંડલ ગણેશની મુશ્કેલી વધી, તપાસમાં થયા મોટા ખુલાસા

ગોંડલ ગણેશની મુશ્કેલી વધી, તપાસમાં થયા મોટા ખુલાસા

ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાહેજાના પુત્ર ગણેશ જાડેજાના હાલ ખુબ ચર્ચામાં છે. ગત 30મી મેના રોજ ગણેશ જાડેજા ઉર્ફે ગોંડલ ગણેશ અને તેમના માણસો દ્વારા જૂનાગઢ જિલ્લાના અનુસુચિત સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કર્યું હતુ. જેને લઈ આજે પોલીસ દ્રારા આરોપીઓનું રી-કન્ટ્રકશન કરાયું હતુ, જેમાં આરોપીએ પોલીસને ઘણી ફરિયાદો કરી હતી.

આજે સવારે આ મામલે અનુસુચિત સમાજના લોકો દ્વારા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા સઘન પુછપરછ અને ઘટનાનું રી-કન્ટ્રક્શન દરમિયાન ખુલાસા થયા કે ગણેશ જાડેજાએ આરોપીના ટેટુની લઈ ટિપ્પણી કરી હતી. સમસ્ત અનુસુચિત સમાજ ગુજરાત દ્વારા આજે જૂનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. જૂનાગઢથી નિકળેલી અનુસુચિત સમાજની રેલી ગોંડલ ખાતે પૂર્ણ થઈ છે. ત્યારબાદ દલિત સમાજ દ્વારા ડો.આંબેડકર ચોક ખાતે મહાસંમેલનનુ આયોજન કરાયું હતું. આ મહાસંમેલનમાં અનુસુચિત સમાજના યુવાનો, મહિલાઓ, અને વડીલો મોટી સંખ્યામાં ઊમટ્યા છે.

જૂનાગઢથી નીકળેલી અનુસુચિત જાતિ સમાજની બાઈક રેલી જેતપુર, ધોરાજી થઈ ગોંડલ ખાતે પહોંચી છે. ગોંડલ શહેરના ડુંગર હિર દ્વાર પાસે રાજુ સોલંકીને હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. રાજકોટ કોર્પોરેટર અને પૂર્વ વિપક્ષી નેતા વશરામ સાંગઠીયા ગોંડલ શહેરમાં રેલીમાં જોડાયા હતા. રેલી સવારે 10 કલાકે જૂનાગઢથી નીકળી નવાગઢ ડો.આંબેડકર ચોક પહોંચી હતી. ત્યાંથી ભેંસાણ, જેતપુર, ધોરાજી, ઉપલેટાના કાર્યકર્તાઓ રેલીમાં જોડાયા હતા. વિરપુર હાઇવેથી વિરપુર તથા આસપાસના ગામોના કાર્યકર્તાઓ જોડાયા હતા.

શું છે આખો અપહરણ મામલો

જુનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખ રાજુભાઈના પુત્ર અને જુનાગઢ શહેર NSUI ના પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરી હત્યાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. ફરિયાદ અને આરોપી વચ્ચે રસ્તા પર કાર વ્યવસ્થિત ચલાવવા મુદ્દે બોલાચાલી થઈ હતી. તારીખ 30 મેની રાત્રે ગોંડલ ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજા અને તેના સાગરીત મિત્રો દ્વારા જુનાગઢ જીલ્લા અનુસૂચિત જાતિ સમાજના પ્રમુખના પુત્ર અને શહેર NSUI પ્રમુખ સંજય સોલંકીનું અપહરણ કરવાનું સામે આવ્યુ હતું. ગણેશ અને અન્ય આરોપીઓ કારની નંબર પ્લેટ કાઢી ફરી જુનાગઢ આવ્યા અને ફરિયાદી સંજય સોલંકીને મારી નાંખવાના ઇરાદે કારથી મોટરસાયકલને પાછળથી ટક્કર મારી હતી. જે બાદ આ લોકોએ લોખંડના પાઈપ જેવા હથિયારોથી સંજય સોલંકીને માર પણ માર્યો હતો. જે બાદ સંજય સોલંકીનું અપહરણ કરી દીધું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular