Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratબીએપીએસ દ્વારા જરુરિયાતમંદો માટેનો સેવાયજ્ઞ

બીએપીએસ દ્વારા જરુરિયાતમંદો માટેનો સેવાયજ્ઞ

અમદાવાદઃ ભારતમાં કોરોના વાયરસને કારણે લોકડાઉનની સ્થિતિ છે. ગુજરાતમાં અનેક લોકો જરુરિયાતમંદ લોકોની વ્હારે આવી તેમની મદદ કરી રહ્યા છે. ત્યારે બીએપીએસના સંત અને વોલેન્ટિયર્સે તંત્ર સાથે મળીને જરુરીયાતમંદ લોકો સુધી શાકભાજી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી. આ શાકભાજીનું પેકિંગ પ્યોર હાઈજીનનું ધ્યાન રાખીને કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના કારણે અત્યારે સ્થિતિ બહુ વિકટ છે. આ વાયરસને ફેલાતો રોકવા માટે અત્યારે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે અનેક લોકો એવા છે કે જે લોકો રોજ કમાઈને રોજ ખાય છે. હવે જ્યારે નોકરી ધંધા કે મજૂરી બંધ થઈ ગઈ છે ત્યારે આ વર્ગના લોકો સૌથી વધારે મુશ્કેલીમાં મુકાયા છે. તેમની સામે એક યક્ષ પ્રશ્ન ઉભો થયો કે આખરે ખાઈએ તો ખાઈએ શું?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular