Thursday, July 17, 2025
Google search engine
HomeNewsGujaratઅંબાજી પદયાત્રાએ નીકળેલા યાત્રાળુઓ માટે ફ્રી મેડિકલ સેવા કેમ્પ શરૂ

અંબાજી પદયાત્રાએ નીકળેલા યાત્રાળુઓ માટે ફ્રી મેડિકલ સેવા કેમ્પ શરૂ

51 શક્તિપીઠમાનું સૌથી મોટુ ગણાતું અંબાજીમાં ભાદરવી પૂનમનો મેળો શરૂ થઈ ચૂક્યો છે. મેળાની શરૂઆતમાં જ લાખોની સંખ્યમાં માઈભક્તોએ મેળા મુલાકત લેવા સાથે માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ઉપરાંત લાખોની સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શન કરવા અંબાજી પહોંચી રહ્યા છે. ત્યારે  પગપાળા અંબાજી આવતા ભક્તોની સેવા માટે વિવિધ સેવા કેમ્પો અહીં કાર્યરત છે. રતનપુર દાંતા ખાતે છેલ્લા 10 વર્ષથી બનાસ ડેરી દ્વારા સેવા કેમ્પ કરવામાં આવે છે. જેમાં 3 વર્ષથી બનાસ મેડિકલ દ્વારા મીની હોસ્પિટલ ઊભું કરાવામાં આવે છે.

અંબાજી ભાદરવી પૂનમના મેળામાં પદયાત્રીઓની સેવા કરવા માટે અંબાજીના માર્ગો પર અનેક કેમ્પો લગાવવામાં આવે છે. જેમાં અંબાજી ખાતે આવતા પદયાત્રીકોની અલગ અલગ રીતે સેવા કરવામાં આવે છે. ત્યારે દાંતા ખાતે આવેલી બનાસ ડેરી દ્વારા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. મેડિકલ કેમ્પમાં મીની હોસ્પિટલ ઊભી કરવામાં આવી છે. જેમાં મલ્ટી પેરા મોનિટર, ઈ.સી.જી. મશીન, ડિફિબ્રીલેટર, ઓક્સિજન, સકશન મશીન, મસાજ માટે વાઈબ્રેટર મશીન, પાટાપિંડીની, બાઈપેપ સહિતની સગવડ જેવી તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવી છે. આ સેવા કેમ્પ ખાતે ઊભી કરાયેલી હોસ્પિટલમાં જનરલ ઓપીડી, સર્જીકલ, ઓર્થોપેડિક, ગાયનેક, મેડિસિન, રેસ્પીરેટરી મેડિસિનના તજજ્ઞો સેવા આપી રહ્યા છે. જેમાં પદયાત્રીઓને મેડિકલ સેવા તેમજ આરામ માટે ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. પદયાત્રા કરતા પદયાત્રીઓને સૌથી વધુ તકલીફ પગમાં થતી હોય છે. આથી પદયાત્રીઓના પગમાં માલિશ અને આરામ માટે ખાસ ખાટલાની વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે બનાસ મેડિકલ દ્વારા 15000 કરતાં વધુ પદયાત્રીઓની સેવા કરી હતી. આ વર્ષે અત્યાર સુધીમાં 1000થી વધુ ભક્તો સેવાનો લાભ લઈ ચૂક્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular