Saturday, June 7, 2025
Google search engine
HomeNewsGujaratસુરેન્દ્રનગરમાં વેન-ટ્રકની ટક્કરમાં ચાર મહિલાનાં મોત, 16 ઘાયલ

સુરેન્દ્રનગરમાં વેન-ટ્રકની ટક્કરમાં ચાર મહિલાનાં મોત, 16 ઘાયલ

અમદાવાદઃ રાજ્યના સુરેન્દ્રનગર જિલ્લામાં એક પિકઅપ વેન અને ટ્રકની વચ્ચે ટક્કર થવાથી ચાર મહિલાઓનાં મોત થયાં છે અને 16 અન્ય ઘાયલ થયા છે, એમ પોલીસે આ માહિતી આપી હતી.

સ્થાનિક પોલીસ સ્સેશનના ઇન્સ્પેક્ટર અસી ઓડેદરાએ જણાવ્યું હતું કે અકસ્માત સોમવારે રાત્રે 10.30 વાગ્યે ચોટિલા પાસે થયો હતો. વેનમાં 20 યાત્રીઓ સવાર હતા. ટક્કર પછી બે લોકોનાં ઘટનાસ્થળે મોત થયાં હતાં, જ્યારે અન્ય બે મહિલાનાં મોત હોસ્પિટલમાં થયાં હતાં.

વેન જિલ્લાના લીંબડી તાલુકાના શિયાની ગામથી સોમનાથ જઈ રહી હતી. ટ્રક રસ્તા પર એક હોટેલ પાસે થોભવા માટે જમણી બાજુ વળી અને એની વેન સાથે ટક્કર થઈ હતી.

પીડિત મૃતક પૂર્વજોના અનુષ્ઠાન  પિતૃતર્પણ માટે સોમનાથ જઈ રહ્યા હતા. બધા 16 ઘાયલોને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં મૃતકોની ઓળખ મગજીબહેન રેથારિયા (72), ગલાલબહેન રેથારિયા (60),  મંજુબહેન રેથારિયા (65) અને ગૌરીબહેન રેથારિયા તરીકે કરવામાં આવી છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular