Sunday, June 29, 2025
Google search engine
HomeNewsGujaratઅંકલેશ્વર GIDCમાં દીવાલ ધરાશાયી થતાં ચારનાં મોત

અંકલેશ્વર GIDCમાં દીવાલ ધરાશાયી થતાં ચારનાં મોત

ભરૂચઃ  રાજ્યની અંકલેશ્વર GIDCમાં પ્લાસ્ટોકોન કંપનીની દીવાલ તૂટી પડતાં ચાર કામદારનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જયારે બે કામદાર ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી મુજબ કંપનીમાં દીવલ ચણતરનું કામ ચાલી રહ્યું હતું એ દરમ્યાન આ દુર્ઘટના બની હતી.

અંકલેશ્વર જીઆઇડીસીની પ્લાસ્ટોકોન કંપનીમાં દીવાલ ચણવાનું કામ ચાલી રહ્યું હતું, એ દરમિયાન દીવાલ ધરાશાયી થઈ હતી. આ ઘટનામાં છ લોકો દબાઈ ગયા હતા, પણ તેમાંથી પાંચ કામદારોને બચાવી લેવામાં આવ્યા હતા. જોકે દીવાલ નીચે દબાઈ જવાથી એક કામદારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જોકે આ દુર્ઘટનામા કોન્ટ્રેક્ટર સહિત અન્ય ત્રણ કામદારોનું મોત થયાં હતાં. જયારે અન્ય બે કામદારો સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવને પગલે GIDC પોલીસ મથકનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી છે.  સ્થાનિક તંત્રએ દીવાલનો કાટમાળ ખસેડવા કામગીરી હાથ ધરી છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular