Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratગાંધીનગર: ભારતીય કૌશલ્ય સંસ્થાનનો શિલાન્યાસ

ગાંધીનગર: ભારતીય કૌશલ્ય સંસ્થાનનો શિલાન્યાસ

અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બુધવારે ગાંધીનગરના નાસ્મેડ ગામે ભારતીય કૌશલ્ય સંસ્થાનો શિલાન્યાસ કર્યો. ટાટા ગ્રુપ દ્વારા રાજ્યના શ્રમ અને રોજગાર વિભાગની સાથે ભારતીય કૌશલ્ય સંસ્થા,  નોટ-ફોર-પ્રોફિટ જાહેર ખાનગી ભાગીદારી મોડ પર વિકસાવવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સંસ્થાને જમીન પૂરી પાડી છે, ત્યારે જયારે ટાટા એજ્યુકેશન ડેવલપમેન્ટ ટ્રસ્ટ મૂડી રોકાણમાં ફાળો આપી રહ્યું છે.

રાજ્ય સરકારે ઇન્સ્ટિટ્યુટ માટે નાસ્મેડ ખાતે 20 એકર જમીન ફાળવી છે. ૭૦ ટકા પાસ-આઉટને રોજગાર આપવાનું લક્ષ્ય રાખીને તેની કામગીરી શરૂ થયાના પાંચ વર્ષ પછી ઇન્સ્ટિટ્યૂટમાંથી દર વર્ષે ઓછામાં ઓછા 5000 વિદ્યાર્થીઓ પાસ થશે. શ્રમ અને રોજગાર વિભાગના  અધિક   મુખ્ય સચિવ વિપુલ મિત્ત્રાએ જણાવ્યું હતું કે ભારતીય કૌશલ્ય સંસ્થાઓ સંરક્ષણ, એરોસ્પેસ, તેલ અને ગેસ અને તકનીક જેવા ઉચ્ચ વિશિષ્ટ ક્ષેત્રોની માંગને પહોંચી વળવા તાલીમ પૂરી પાડવા અને ઉચ્ચ કુશળ તકનીક વિકસાવવા માટે છે.

ભારતીય કૌશલ્ય સંસ્થાઓ, ભારતીય મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ(આઈઆઈએમ) અને આઈઆઈટીની તર્જ પર પ્રીમિયર તાલીમ સંસ્થાઓ તરીકે ઉભરી આવશે અને યુવાનો માટે વ્યાવસાયિક તાલીમ પ્રેરણાદાયક  બનાવશે તેવી અપેક્ષા છે. યુવાનોને ભવિષ્યના ઉભરતા અને ઉચ્ચ માંગવાળા ક્ષેત્રો માટે જરૂરી યોગ્ય તાલીમ અને કુશળતાથી સજ્જ કરવા માટેનું એક મોટું પગલું છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular