Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratઅગ્નિકાંડને લઈ નવી કમિટીની રચના, ત્રણ સનદી અધિકારીઓનો સમાવેશ

અગ્નિકાંડને લઈ નવી કમિટીની રચના, ત્રણ સનદી અધિકારીઓનો સમાવેશ

TRP ગેમ ઝોન અગ્નિકાંડને 21 દિવસ પૂર્ણ થઈ ચૂક્યા છે. જ્યારે અગ્નિકાંડને લઈને રાજ્ય સરકાર જાગી ઉઠી છે. અને રાજ્યમાં તમામ જગ્યા પર સઘન ચેકિંગ શરૂ થયું છે. આ અગ્નિકાંડને લઈ રાજ્ય સરકારે SITની રચના કરી છે. આ ઉપરાંત SITની તપાસમાં અવાર નવાર નવા નવા પાસ ખુલી રહ્યા છે. શહેરના ટીઆરપી આગકાંડમાં હાઇકોર્ટના આદેશ બાદ રાજ્ય સરકારે એક કમિટિ બનાવી છે. આ કમિટિમાં ત્રણ સનદી અધિકારીઓ મનીષા ચંદ્રા, પી. સ્વરૂપ, અને રાજકુમાર બેનીવાલને આ અંગેની જવાબદારી સોંપવામાં આવી છે. નોંધનીય છે કે, સુભાષ ત્રિવેદીના અધ્યક્ષતામાં રચાયેલી SITને ઉચ્ચ અધિકારીઓ જવાબ આપી રહ્યા નથી. પૂછપરછ માટે સમન્સ હોવા છતાં જુનિયર અધિકારી સામે ઉચ્ચ અધિકારી હાજર થઇ રહ્યા નથી.

રાજકોટ અગ્નિકાંડમાં 28 લોકોના મામુસ જીવ ભષ્મી ભૂત થઈ ચૂક્યા હતા. જેને લઈ અવાર નવાર નવા નવા પાસ ખુલી રહ્યા છે. રાજકોટ આગકાંડ મામલે SITની તપાસ ચાલી રહી છે. જેનો રિપોર્ટ 20મી જૂને સરકારને મળવાનો છે. આ સાથે જ ત્રીજી તપાસ રાજકોટ સિટી ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે. જેમાં ધરપકડો બાદ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગેમઝોનને લાયસન્સ આપવાની પોલીસ કમિશનર કચેરીની ફાઇલ ગુમ છે, જેને SITના અધિકારીઓ શોધી રહ્યાં છે, પરંતુ માહીતી કે દસ્તાવેજો મળતી રહ્યા નથી. અદાલતના આદેશમાં ફેક્ટ ફાઇન્ડિંગ ઇન્કવાયરીનો ઉલ્લેખ છે, તેથી શહેરી વિકાસ વિભાગની કમિટીમાં દુર્ઘટના સાથે સંકળાયેલી તમામ બાબતોને આવરી લેવાશે. આ રિપોર્ટ 15 દિવસમાં અદાલતમાં રજૂ કરવાનો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular