Friday, July 18, 2025
Google search engine
HomeNewsGujaratઅધિક માસે ભારે આસ્થાથી ઉત્સવ-મહોત્સવ ઊજવાયા

અધિક માસે ભારે આસ્થાથી ઉત્સવ-મહોત્સવ ઊજવાયા

અમદાવાદઃ અધિક શ્રાવણ માસનો છેલ્લો દિવસ અમાસ શ્રદ્ધાળુઓ એ જુદી-જુદી રીતે ઊજવ્યો હતો. સોસાયટીઓ, ગામના શેરી મહોલ્લા અને મંદિરોમાં ભજન-કીર્તન કથા-વાચન અને અન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

શહેરના ભાગવત વિદ્યાપીઠ મંદિરમાં ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી. શ્રીરસરાજ પ્રભુને અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. પશ્ચિમ વિસ્તારમાં આવેલી વિવાન એમિનન્સ સહિત અનેક સોસાયટીઓમાં પુરુષોત્તમ માસ નિમિત્તે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પુરુષોત્તમ માસ પૂર્ણ થાય એ પૂર્વે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ નજીકનાં ધાર્મિક સ્થળો પાસેથી નીકળતી નદીના પવિત્ર આરાઓ પાસે સ્નાન કર્યુ હતું. અધિક શ્રાવણ માસ પછી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ રહી છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular