Thursday, October 30, 2025
Google search engine
HomeNewsGujaratમોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને શ્રદ્ધાંજલી  

મોરબી ઝૂલતા પૂલ દૂર્ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને શ્રદ્ધાંજલી  

અમદાવાદઃ અદાણી ફાઉન્ડેશન મોરબી ઝૂલતા પૂલ તૂટી પડવાની હૃદયદ્વાવક ઘટનાની પ્રથમ વરસીએ મૃતકોને શ્રદ્ધાંજલી અર્પે છે. અદાણી ફાઉન્ડેશન એ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાના પીડિતોના દુ:ખમાં સહભાગી થઈ મદદરૂપ થવા પ્રતિબદ્ધ છે. મચ્છુ નદી ઉપરનો ઐતિહાસિક ઝૂલતો પુલ ગઈ 3૦ ઓકટોબરે ધરાશાયી થતાં 135 લોકોએ જિંદગી ગુમાવી હતી, જેમાં 20 બાળકો અનાથ બન્યાં હતાં.

આ દુ:ખદ ઘટનાની જાણ થતાં જ અદાણી ફાઉન્ડેશનની ટીમે તાબડતોબ ઘટનાસ્થળે પહોંચી પીડિત પરિવારોના દુ:ખમાં સહભાગી બની ઘરઆંગણે મદદ પહોંચાડી હતી. અદાણી ફાઉન્ડેશન દ્વારા પીડિત પરિવારોના અનાથ બાળકો માટે કુલ રૂ. 5 કરોડની સહાય કરવામાં આવી છે.

અદાણી ફાઉન્ડેશને માતા-પિતાની છત્રછાયા ગુમાવનાર 20 બાળકોનુ ભાવિ સુનિશ્ચિત કરવા દરેક માટે રૂ. 25 લાખની ફિક્સ ડિપોઝિટ જમા કરાવી દીધી હતી.

મુમતાઝના ખોળામાં સ્મિત વેરતા અરહાને દુનિયામાં ડગ માંડતા પહેલા જ પિતાની છત્રછાયા ગુમાવી, પરંતુ અદાણી ફાઉન્ડેશનની મદદને કારણે આજે પરિવારની આશાનું કિરણ બની ગયો છે.

ધોરણ 4માં ભણતો શિવમ ભવિષ્યમાં પોલીસ બની દેશસેવા કરવાનાં સપનાં સેવે છે. ફાઉન્ડેશનનો અપાર સ્નેહ, સાંત્વના અને મદદ મેળવતા શિવમના દાદા ભારે હૃદયે જણાવે છે કે મારા રામે ઘરે આવી અમારી દુ:ખની વેળાએ આંગળી પકડી લીધી છે. અદાણી ફાઉન્ડેશનનો ખૂબ-ખૂબ આભાર.

એ મોતના તાંડવમાં આબાલવૃદ્ધ સૌનું આક્રંદ આજે પણ ભલભલાની આંખના ખૂણા ભીંજવી દે છે. સગર્ભા મુમતાઝબહેન ત્યારે પરિવાર સાથે ફરવા આવ્યાં હતાં, નાદુરસ્ત તબિયતને કારણે પૂલ પરથી પરત ફરી રહ્યાં હતાં તેવામાં જ બાળકોની ચિચિયારીઓ સાંભળી ઢળી પડ્યાં. બેભાનાવસ્થામાંથી બહાર આવતાં જ તેમના માથે જાણે ખરેખર આભ તૂટી પડ્યું હતું. પતિ અને બે માસૂમોની લાશ જોતા ફરી અર્ધજાગૃત અવસ્થામાં સરી પડ્યાં. એવી નાજુક ક્ષણોએ અદાણી ફાઉન્ડેશને તેમના આંસુ લૂછ્યા અને ગર્ભસ્થ શિશુની જવાબદારી ઉપાડી લીધી.

ત્રણ મહિનાના ગર્ભસ્થ શિશુ માટે રૂ 25 લાખની માતબર રકમની ફિક્સ ડિપોઝિટ કરાવી, એટલું જ નહીં, તેના અભ્યાસ અને આરોગ્ય માટે વ્યાજની રકમમાંથી ખર્ચ નિર્વાહ થઈ શકશે. આજે એ બાળક અરહાન અદાણી ફાઉન્ડેશન પરિવાર માટે બંદગી અને દુઆઓ કરે છે.

અદાણી ફાઉન્ડેશનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર વસંત ગઢવી જણાવે છે કે મોરબી દૂર્ઘટના સમયે જ્યારે ફાઉન્ડેશનની ટીમ ઘટનાસ્થળે પહોંચી ત્યારે સત્તાવાળાઓ તરફથી પૂરતી મદદ અને સહયોગ પ્રાપ્ત થયો, તે બદલ અમે તેમના આભારી છીએ.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular