Thursday, June 12, 2025
Google search engine
HomeNewsGujaratનાણામંત્રી સીતારમણ ગુજરાત પ્રવાસે, શુ બોલ્યા જાણો..

નાણામંત્રી સીતારમણ ગુજરાત પ્રવાસે, શુ બોલ્યા જાણો..

લોકસભા ચૂંટણીને લઈ કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણ આજે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે ગુજરાત ચેમ્બરસ ઓફ કોમર્સના એક કાર્યક્રમ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન તેમને ગુજરાતને દેશનું ફ્યુચરિસ્ટિક ફાઇનાન્શિયલ ટેક સિટી નહીં પણ સમગ્ર વિશ્વનું ફાઇનાન્સ હબ બનવાની પણ વાત કરી હતી. આ સાથે વિપર પર પણ આકરા પ્રહારો કર્યા હતા.

 

કાર્યક્રમ બાદ તેમણે એક પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદમાં જણાવ્યું કે છેલ્લા 10 વર્ષમાં આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પ્રજાલક્ષી કાર્યો છેવાડાના માનવી સુધી પહોંચ્યા છે અને જ્યાં પણ કોઈક જગ્યાએ એવા પ્રજાલક્ષી કાર્યો જે છેવાડાના માનવી સુધી નથી પહોંચ્યા તેને પહોચાડવા માટે અમે પ્રતિબદ્ધ છીએ. ગરીબ તેમજ વંચિતો માટે સરકાર કાર્ય કરીને તેમને પણ સશક્ત કરી અને તેમની આકાંક્ષાઓને પૂર્ણ કરવા કટિબદ્ધ છે. દેશની મહિલાઓને મફત ગેસ કનેક્શન ભાજપ સરકારે આપ્યા, મફત અનાજની સુવિધા, હર ઘર જળ અભિયાનથી પાણીની વ્યવસ્થા, 24 કલાક વીજળી, લઘુ તેમજ કુટીર ઉધ્યોગ માટે લોન આ તમામ મોદી સરકાર દ્વારા કરવામાં આવેલા 10 વર્ષના સુશાસનના કાર્યો પ્રજા સમક્ષ લઈને અમે જઈ રહ્યા છે. આ પ્રેસ કોન્ફરેન્સમાં પ્રદેશના મુખ્ય પ્રવકતા યમલ વ્યાસ, પ્રદેશ મીડિયા સહ કન્વીનર ઝૂબિન આશરા, પ્રદેશ સહ પ્રવકતા હિતેન્દ્ર પટેલ, પ્રેરક શાહ, ડૉ.શ્રદ્ધા રાજપૂત, રાજીકા કચેરીયા, જૈનિક વકીલ ઉપસ્થિત રહ્યા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular