Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsGujaratસોમનાથ-જેતપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત

સોમનાથ-જેતપુર હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 7 લોકોના મોત

ગુજરાતમાં સતત રોડ અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. ત્યારે આજે વહેલી સવારે માળિયા હાટીના તાલુકાના ભંડુરી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે. જેમાં સોમનાથ જેતપુર હાઇવે પર ભંડુરી નજીક એક કાર સોમનાથ જઇ રહી હતી, ત્યારે કાર ચાલકે કાબુ ગુમાવતાં ડીવાઇડર કૂઓદીને રોંગ સાઇડમાં જઇ રહેલી કાર સાથે ધડાકાભેર ટકરાતાં સાત લોકોના મોત નિપજ્યા છે.

આજે વહેલી સવારે ફરી એક વખત બે કારને અકસ્માતનો સામનો કરવો પડ્યો હતો. જેમાં સાત લોકો મોતને ભેટ્યા હોવાની પ્રાથિક અહેવાલ મળી રહ્યા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર સોમનાથ જેતપુર હાઇવે પર ભંડુરી ગામ પાસે બે કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં કાર સવાર વિદ્યાર્થીઓ કેશોદથી ગડુ ખાતે પરીક્ષા આપવા આપવા માટે જઇ રહ્યા હતા. આ અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે, પાંચેય વિદ્યાર્થીઓ કેશોદની આસપાસના રહેવાસી હોવાની જાણવા મળ્યુ હતું છે. જ્યારે મૃતકોમાના અન્ય બે લોકો જાનુડા ગામના વતની છે. અકસ્માત એટલો ભયંકર હતો કે કાર સળગી ગઇ હતી અને ગેસનો બાટલામાં બ્લાસ્ટ થયો હતો. જેના લીધે બાજુમાં રહેલા ઝૂંપડામાં પણ આગ લાગી હતી. અકસ્માતની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને બચાવ કામગીરી હાથ ધરી હતી.  હાલ મૃતદેહોને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ  ધરવામાં આવી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular