Wednesday, July 30, 2025
Google search engine
HomeNewsGujaratબેવડી ઋતુથી ગુજરાતમાં રોગચાળાનો હાહાકાર, રાજકોટમાં ડેન્ગ્યુથી બેના મોત

બેવડી ઋતુથી ગુજરાતમાં રોગચાળાનો હાહાકાર, રાજકોટમાં ડેન્ગ્યુથી બેના મોત

રાજકોટ: ગુજરાતભરમાં રોગચાળાનો હાહાકાર યથાવત્ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ શહેરમાં રોગચાળાનો ફેલાવ અટક્યો નથી. હાલ ગુજરાતભરમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટમાં ડેન્ગ્યુથી 2 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે. હાલમાં આરોગ્ય વિભાગે સમગ્ર વાતને લઈ તપાસ હાથધરી છે.

હાલમાં રાજયમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે,બપોરે ગરમી તેમજ વહેલી સવારે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે,રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પણ રોજ ઓપીડીમાં લાંબી લાઈનો લાગે છે,રાજકોટ કોર્પોરેશનની આરોગ્ય વિભાગની ટીમે સમગ્ર રાજકોટમાં હાલ ફોંગિગની અને દવાની છંટાકાવ કામગીરી શરૂ કરી છે. સરકારી આંકડ પ્રમાણે ડેન્ગ્યુથી ગઈકાલે 2 લોકોના મોત થયા હોવાની જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ડેન્ગ્યુથી 21 વર્ષના યુવક અને 10 વર્ષીય બાળકીનું સારવાર દરમિયાન નિપજયું મોત થયું છે. આપને જણાવી દઈએ કે મૃતકો જે વિસ્તારમાં રહેતા હતા તે વિસ્તારમાં તંત્ર દ્વારા છંટકાવ અને ફોંગિંગની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

શરદી-ખાંસીની સાથે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય તેવા દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે. ડેંગ્યુના 48 શંકાસ્પદ દર્દીમાંથી 6 દર્દીના રિપોર્ટ પોઝિટીવ આવ્યા છે. જ્યારે મેલેરિયાના 739 શંકાસ્પદ દર્દી નોંધાયા છે. વડોદરા મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે જાહેર કરેલા આંકડા મુજબ ડેન્ગ્યુના શંકાસ્પદ 48 દર્દી પૈકી એકતાનગર, તાંદલજા, દિવાળીપુરા, નવાયાર્ડ, નવી ધરતી, ગોરવામાંથી ડેન્ગ્યુના 6 પોઝિટિવ દર્દી મળી આવ્યા હતા જ્યારે મલેરિયાનાં લક્ષણો ધરાવતા 739 દર્દીના ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ ટાઈફોઈડના એક દર્દી નોંધાયા હતા.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular