Thursday, May 15, 2025
Google search engine
HomeNewsGujaratસુરેન્દ્રનગરમાં આઠ વ્યક્તિઓએ સગીરા પર ગુજાર્યો બળાત્કાર

સુરેન્દ્રનગરમાં આઠ વ્યક્તિઓએ સગીરા પર ગુજાર્યો બળાત્કાર

અમદાવાદઃ રાજ્યમાં દુષ્કર્મનો વધુ એક કિસ્સો બન્યો છે. સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરાનું અપહરણ કરીને આઠ શખસોએ અલગ-અલગ જગ્યાએ લઈ જઈને દુષ્કર્મ આચર્યું છે. આરોપીઓએ સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી તેની પર દુષ્કર્મ આચર્યું છે. થાનગઢ પોલીસ મથકે અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદને આધારે તમામ શખસોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.

સુરેન્દ્રનગરના થાનગઢમાં સગીરા પર સાત મહિનામાં આઠ નરાધમોએ દુષ્કર્મ આચર્યું છે. સગીરાનું અપહરણ કરીને 8 શખ્સોએ અલગ-અલગ જગ્યા પર લઈ જઈને દુષ્કર્મ આચર્યું હતું. સગીરાએ માતાને જાણ કરતાં તેમણે થાનગઢ પોલીસ મથકમાં અપહરણ અને દુષ્કર્મ અંગેની ફરિયાદ નોંધાવી છે. જે બાદ પોલીસે ફરિયાદને આધારે તમામ શખસોની ધરપકડ કરવા તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર થાનગઢમાં આવેલા પોલીસ સ્ટેશન નજીકમાં જ આ દુષ્કર્મની ઘટના બની હતી. જેને કારણે લોકોમાં ભારે રોષ છવાયો છે. આ ઉપરાંત પોલીસની કામગીરી પર પણ સવાલો ઊભા છે.  આ આરોપીઓમાં અજય ભરવાડ, અજય મનાભાઈ અલગોતર, શૈલેષ ઉકાભાઈ અલગોતર, ધ્રુવ  મહેન્દ્રભાઈ ચાવડા, કૌશિક ઉર્ફે લાલો હરેશભાઈ ગોસ્વામી, વિજયસિંહ નરેન્દ્રસિંહ સોલંકી, દર્શન મુકેશભાઈ સદાદિયા, કાનો ઉર્ફે હરિનો સમાવેશ થાય છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular