Thursday, July 17, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતમાં લોકડાઉનઃ ટપાલ ખાતાએ કેરી પહોંચાડવાનું શરૂ કર્યું

ગુજરાતમાં લોકડાઉનઃ ટપાલ ખાતાએ કેરી પહોંચાડવાનું શરૂ કર્યું

અમદાવાદઃ કોરોના-લોકડાઉન દરમિયાન ગુજરાતનો ટપાલ વિભાગ દવાઓ સપ્લાય કરવાનું કામ કરતો હતો, એણે હવે વલસાડનાં ખેતરોમાંથી કેરી સપ્લાયનું કામ પણ શરૂ કર્યું છે. લોકો લોકડાઉનને કારણે પોતપોતાના ઘરોમાં કેદ છે ત્યારે ગ્રાહકોને કેરી પહોંચાડવામાં મુશ્કેલીનો સામનો કરતા અને છ કેરીના બગીચા ધરાવતા ખેડૂતે ટપાલ વિભાગનો સંપર્ક સાધ્યો હતો.

5000 કેરીનાં ઝાડના માલિક દશરથભાઈ

દશરથ દેસાઈ 5000 કેરીનાં ઝાડ ધરાવે છે. એમણે થોડાક દિવસો પહેલાં સુરતમાં એક ગ્રાહક પાસેથી મળેલા કેરીના ઓર્ડર માટે એક કન્સાઇટમેન્ટ તૈયાર કરીને  એક ખાનગી વાહનમાં મોકલી આપ્યું હતું. જોકે રસ્તામાં પોલીસ અને અન્ય સરકારી સરકારી કર્મચારીઓ દ્વારા વાહનની જુદી-જુદી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી અને એ કન્સાઇનમેન્ટ તેને પાછું મોકલવામાં આવ્યું હતું. જેથી દશરથે આ બાબતે તેના પડોશી ભરત દેસાઈ કે જે વલસાડ પોસ્ટ ઓફિસમાં કામ કરે છે, તેની પાસે આને લગતી ચિંતા વ્યક્ત કરી હતી.

દશરથભાઈની આસિસ્ટન્ટ સુપરિટેન્ડેન્ટ અનિલકુમાર સાથે મુલાકાત

ભરત દેસાઇએ દશરથભાઈની મુલાકાત આસિસ્ટન્ટ સુપ્રીન્ટેન્ડન્ટ અનિલકુમાર સાથે કરાવી હતી. ત્યાર બાદ કેરીના માલ પરિવહન માટેના લોજિસ્ટિક્સ અને અન્ય ચાર્જ કિલોદીઠ રૂ. 10 લગાડીને મોકલવામાં આવી હતી. જોકે આમાં GSTની ગણતરી કરવામાં નથી આવી.

ટપાલ વિભાગને વધુ ઓર્ડર મળ્યા

દશરના ફાર્મમાંથી શુક્રવારે ઇન્ડિયા પોસ્ટ મેઇલ વેન દ્વારા તેનો પહેલો માલ રવાના થયો હતો. સુરતમાં તેના ફાર્મમાંથી ઇન્ડિયા પોસ્ટ મેઇલ વાન દ્વારા પહેલી માલ રવાનગી થઈ. સુરતમાં બે ગ્રાહકોને માત્ર ત્રણ જ કલાકમાં કેરીના 90 બોક્સ પહોંચાડવામાં આવ્યાં હતાં. દશરથે અન્ય ખેડૂતો સાથે પોતાનો અનુભર શેર કર્યો હતો. આમ આ વાત પ્રસરતાં શુક્રવાર સાંજ સુધીમાં તો ટપાલ વિભાગને અમદાવાદ, વડોદરા અને મુંબઈથી પાંચ ઓર્ડર રવાના કરવાના મળ્યા હતા.

ગ્રાહકોને કેરી પહોંચાડવાની તક ઝડપી

ટપાસ સેવાઓ વિશેની વિગતો આપતાં અનિલ કુમારે કહ્યું હતું કે અમે વાપી, વલસાડ, જયપુર, હૈદરાબાદ અને મુંબઈની ફાર્માસ્યુટિકલ કંપનીઓ પાસેથી દવાની સપ્લાય કરીએ જ છીએ. હાલ કેરીની સીઝન અહીં હોવાથી, અમે ગ્રાહકોને કેરી પહોંચાડવાની તક ઝડપી લીધી.

 અન્ય રાજ્યોમાં કેરી પહોંચાડાશે

“અમને અમારી ટપાલ સેવાઓનો ઉપયોગ કરવા માટે અનેક ખેડૂતો તરફથી ઘણા બધા કોલ આવ્યા છે. અમે અન્ય રાજ્યોમાં કેરી પહોંચાડવા માટે કયા દરે ચાર્જ લગાડવા એ માટે કામ કરી રહ્યા છીએ. એક વાર એ નક્કી થઈ જશે, પછી અમે અન્ય રાજ્યોમાં પણ ડિલિવરી શરૂ કરીશું.

દશરથભાઈ કહ્યું હતું કે હું છેલ્લાં 25 વર્ષથી કેરી અને ચણાની ખેતી કરું છું. આ વર્ષે લોકડાઉનને કારણે વલસાડમાં કેરીનું બજાર હજી ખૂલ્યું નથી. તેથી અમે અમારા ગ્રાહકોનો ઓનલાઇન સંપર્ક કર્યો અને તેમને કેરી પહોંચાડવા માટે ઇન્ડિયા પોસ્ટ સેવાઓનો ઉપયોગ કર્યો. અમે આજે કેરીના બોક્સ પહેલી વાર આ રીતે મોકલી આપ્યાં અને ટ્રાન્સપોર્ટેશન ખર્ચ કર્યો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular