Friday, May 16, 2025
Google search engine
HomeNewsGujaratબેવડી ઋતુને લીધે શહેરમાં રોગચાળો વકર્યો

બેવડી ઋતુને લીધે શહેરમાં રોગચાળો વકર્યો

અમદાવાદઃ રાજ્યમાં હાલ મિશ્ર ઋતુ જોવા મળી રહી છે, સવાર-સાંજ ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ થઇ રહ્યો છે.  આ બેવડી ઋતુને લીધે રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં શરદી, તાવ, ખાંસી સહિત ટાઈફોડના અને ઝાડા-ઊલટી તેમજ કમળાના કેસો સતત નોંધાઈ રહ્યા છે.

શહેરમાં રોગચાળો વકરતાં હોસ્પિટલોમાં દર્દીઓથી ઊભરાઈ રહી છે. છેલ્લા પાંચ દિવસમાં જ પાણીજન્ય રોગના 150 કેસ નોંધાયા છે જ્યારે ટાઇફોઈડના 62, ઝાડા-ઊલટીના 61, કમળાના 27 કેસ નોંધવામાં આવ્યા છે. શહેરમાં ઘેરેઘેર બીમારીના હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. AMC અર્બન હેલ્થ સેન્ટર પર દર્દીઓનો ધસારો જોવા મળી રહ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ શરદી—ખાંસીના 2000 જેટલા કેસ નોંધાયા છે.શહેરમાં શરદી, ખાંસી અને વાઇરલ ઇન્ફેક્શનના કેસમાં વધારો નોંધાયો છે. સોલા સિવિલ હોસ્પિટલમાં એક સપ્તાહમાં વાયરલ ઇન્ફેક્શનના 1433 દર્દીઓને નોંધાયા છે. ગયા સપ્તાહે 1273 કેસ નોંધાયા હતા. આમ 15 દિવસના અરસામાં તાવ, ખાંસી અને વાયરલના 2706 દર્દીઓને નોંધાયા હતા.

સોલામાં અત્યારે રોજના અંદાજે 1500 જેટલા દર્દીઓને નાનીમોટી બીમારીને લઈને આવી રહ્યા છે. છેલ્લા સપ્તાહે ડેન્ગ્યુના કેસમાં સામાન્ય ઘટાડો થયો છે. છેલ્લા સપ્તાહે 17 કેસ આવ્યા હતા.. જ્યારે તેના પહેલાના અઠવાડિયે 21 કેસ હતા. અને એક મહિનામાં ડેન્ગ્યુના કુલ 133 જેટલા પોઝિટિવ કેસ નોંધાયા હતા.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular