Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratજંત્રીદરમાં બમણો વધારો, ડેવલપર્સ અને નાગરિકોમાં ભારે આક્રોશ

જંત્રીદરમાં બમણો વધારો, ડેવલપર્સ અને નાગરિકોમાં ભારે આક્રોશ

અમદાવાદ: ગુજરાતમાં સરકાર દ્વારા જંત્રીદરમાં બેથી ત્રણ ગણો વધારવાની જાહેરાત કરવામાં આવી છે. જેના કારણે રિયલ એસ્ટેટ સેક્ટરથી લઈને સામાન્ય નાગરિકોને ખૂબ મોટી અસર થવાની છે. ક્રેડાઈ અમદાવાદ GIHED દ્વારા જંત્રી દરના વધારાને લઈ વિરોધ નોંધાવ્યો છે. સૂચિત જંત્રીદરના વાંધા-સૂચનો રજૂ કરવા માટે 30 દિવસની જગ્યાએ 31 માર્ચ 2025 સુધીનો સમય માગ્યો છે. વાંધા-સૂચનો રજૂ કરવા માટેની ઓનલાઇન પ્રક્રિયાની સાથે ઓફલાઈન પ્રક્રિયા પણ કલેક્ટર અથવા મામલતદાર ઓફિસમાં કરી શકાય એવી વ્યવસ્થા ગોઠવવાની માગ કરી છે.

સૂચિત જંત્રીદરમાં જો ઘટાડો નહીં કરવામાં આવે તો ક્રેડાઈ અમદાવાદ સહિત બિલ્ડરો કોર્ટમાં પણ જઈ શકે છે. છેલ્લા બાર દિવસથી એકપણ નવા પ્રોજેક્ટ શરૂ થયા નથી. સૂચિત જંત્રીદરમાં વધારાથી ખેડૂતો, જમીન માલિકો, નવું ઘર ખરીદનારા લોકો સહિત ડેવલપરોને નાગરિકોને પોતાનું ઘરનું ઘર લેવું હવે સપનું બની જશે, કારણ કે નવા સૂચિત જંત્રીદરના કારણે મકાનો 35થી 40 ટકા જેટલાં મોંઘાં થઈ જશે. જે લોકોએ નવાં ઘર નોંધાવી દીધાં છે, પરંતુ દસ્તાવેજ બાકી છે તેમને પણ ખૂબ મોટી અસર થશે.

CREDAI અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2011માં નવી જંત્રી બહાર પાડવામાં આવી હતી. ત્યાર બાદ બાર વર્ષ સુધી વધારો કરવામાં આવ્યો નથી. શહેરમાં ડેવલપમેન્ટને લઈને જંત્રીદરમાં વધારો કરવો જોઈએ, પરંતુ સમયસર દર વર્ષે વધારો કરવો જોઈએ એવું સૂચન કરવામાં આવ્યું હતું, પરંતુ રાજ્ય સરકારે 12 વર્ષ સુધી કોઈ વધારો કર્યો નહીં અને વર્ષ 2023માં માર્ચ મહિનામાં જંત્રી ડબલ કરી દેવાની રાતોરાત જાહેરાત કરી દેવામાં આવી હતી. જે-તે સમયે પણ CREDAI ગુજરાત અને અમદાવાદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે સરકારે રિવ્યૂ કર્યા વગર બજાર પર કેવી અસર થશે એ અંગે વિચાર કર્યા વિના જ આ જાહેરાત કરી દીધી હતી.

રાજ્ય સરકારે સાયન્ટિફિક પદ્ધતિથી સર્વે અને સંકલન કરીને જંત્રીદરમાં સુધારો કરીશું એમ કહ્યું હતું. સરકારે દોઢ વર્ષ સુધી સર્વે અને સ્થળ પરિસ્થિતિ જોયા બાદ 20 નવેમ્બર 2024ના રોજ જે સૂચિત જંત્રીદર બહાર પાડ્યો છે એ બેથી ત્રણ ગણો છે. જંત્રીનો મુદ્દો ખેડૂતથી લઇ દરેક નાગરિક અને ડેવલપરોને અસર કરે છે. સૌથી વધારે ખેડૂતોને આ જંત્રીદરને લઇ અસર થવાની છે. ગુજરાતમાં 40,000 ઝોન છે અને લાખો વાર જમીન આવેલી છે. જ્યારે રાજ્ય સરકારે સૂચિત જંત્રી દર લાગુ કરવાનો હતો ત્યારે 90 દિવસનો વાંધા-સૂચનનો સમય માગ્યો હતો, પરંતુ સરકારે માત્ર 30 દિવસનો સમય આપ્યો છે. જો સરકારને સર્વે કરવામાં દોઢ વર્ષ લાગે તો વાંધા-સૂચનમાં 30 દિવસ કેવી રીતે આપી શકે છે. રાજ્ય સરકારે 30 દિવસ તો સમય આપ્યો છે, જેમાં પણ ઓનલાઇન વાંધા-સૂચનો મગાવવામાં આવ્યાં છે, પરંતુ દરેક વ્યક્તિ ઓનલાઈન વાંધા-સૂચન રજૂ કરી શકે નહીં. બિલ્ડરો દ્વારા પણ પોતાનાં વાંધા-સૂચન ઓનલાઇન કરવામાં આવ્યાં, એમાં પણ ખૂબ વધારે તકલીફ પડે છે. ઝડપથી ઓટીપી મળતા નથી. KYCમાં ખૂબ તકલીફ પડે છે, જેના કારણે બધી સૂચન-પ્રક્રિયા ઓનલાઇનની સાથે હવે ઓફલાઈન પણ કરવાની માગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ક્રેડાઈ અમદાવાદના પ્રમુખે સરકારના સર્વે પર પણ ઘણા પ્રશ્નો ઊભા કર્યા હતા. તેમણે વધુમાં કહ્યું હતું કે અમુક ટીપીમાં અલગ અલગ ઝોન આવેલા છે તો આ એકબીજામાં લાગુ થશે કે કેમ?

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular