Monday, July 21, 2025
Google search engine
HomeNewsGujaratગાંધીયન એન્જિનિયરિંગનો આઇડિયા છે તમારી પાસે?

ગાંધીયન એન્જિનિયરિંગનો આઇડિયા છે તમારી પાસે?

સુરતઃ આમ તો એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે અનેક સ્પર્ધાઓ અને પ્રવૃતિઓ ચાલતી જ હોય છે. પણ આગામી ગાંધી જયંતીએ ગાંધી બાપુની 151મી જયંતી છે, આને નિમિત્ત બનાવીને સુરતમાં આવેલી ઓરો યુનિવર્સિટીએ એન્જિનિયરિંગની એક વિશેષ સ્પર્ધાનું આયોજન કર્યું છે. જેમની પાસે ગાંધી વિચારને પરિભાષિત કરતા કોઈ સંશોધન હોય, આઇડિયા હોય એ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.

પદ્મવિભૂષણ અને જાણીતા સંશોધનકર્તા આર. એ. માશેલકર એ સૌપ્રથમ “ગાંધીયન એન્જિનિયરિંગ”ની પરિભાષાનો પ્રયોગ કર્યો હતો. આ જ પરિભાષાને સાચી ઠેરવતા હોય એવા સંશોધન કોઈ પણ કોલેજના વિદ્યાર્થી કે કોલેજે કર્યા હોય એ આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે. આઇડિયા અને ડિઝાઇન એમ બે વિભાગમાં એન્ટ્રી મોકલી શકાશે. આગામી 25 સપ્ટેમ્બર સુધી એન્ટ્રી મોકલી આપવાની રહેશે. એન્ટ્રી અને વિગત માટે ઓરો યુનિવર્સિટીના વિભાગ અધ્યક્ષ સંદીપ શર્માનો સંપર્ક- 99252 40386, aiic@aurouniversity.edu.in ઉપર કરવો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular