Friday, June 20, 2025
Google search engine
HomeNewsGujaratગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનાં અસ્થિઓનું વિસર્જન

ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનાં અસ્થિઓનું વિસર્જન

વેરાવળઃ સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ અને ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલના અસ્થિ વિસર્જન આજે ત્રિવેણી સંગમ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં સ્વ. કેશુભાઈ પટેલના પરિવારજનો-સ્વજનો, સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે ડી પરમાર, સાથે ટ્રસ્ટના અધિકારી-કર્મચારીઓ, પ્રભાસપાટણના અગ્રણીઓ,તીર્થ પુરોહિતો સહિત લોકો જોડાયા હતા.

સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે અસ્થિ વિસર્જન વિધિ દરમિયાન કેશુભાઈ પટેલના ત્રણે પુત્રો ભરતભાઈ, અશોકભાઈ અને મહેશભાઈ હાજર રહ્યા હતા. આ સાથે જ તેમના દીકરી સોનલબહેન અને જમાઈ મયૂરભાઈ પણ હાજર રહ્યા હતા. તેમના અસ્થિ વિસર્જન વિધિ સ્વ. કેશુભાઈ પટેલના 50 જેટલા પરિવારના સભ્યો જોડાયા હતા.

29 ઓક્ટોબર જ ગુજરાતના 10મા મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલનું નિધન થયું હતું. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન કેશુભાઈ પટેલને  શ્વાસ લેવામાં તકલીફ પડતા તેમને શહેરની સ્ટર્લિંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. જ્યાં અચાનક તેમનું નિધન થયું હતું.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular