Thursday, August 14, 2025
Google search engine
HomeNewsGujaratદિવાળીના તહેવારમાં અમરેલી અને તાલાલા ગીર પંથકની ધરા ધ્રુજી

દિવાળીના તહેવારમાં અમરેલી અને તાલાલા ગીર પંથકની ધરા ધ્રુજી

ગુજરાતભર જ્યારે તહેવારની ઉજવણીમાં અમરેલી અને તાલાલા ગીર પંથકના પેટાળમાં મોટી હીલચાલ નોંધાઈ હતી. દિવાળીની ઉજવણી દરમિયાન ધરતી ધણધણી ઉઠ્તા ચકચાર મચી જવા પામ્યો હતો. સૂત્રો પ્રમાણે તાલાલા વિસ્તારમાં 1.4 થી 2.4ની તીવ્રતા ધરાવતા સાત આંચકા આવ્યા હતા. તાલાલા ગીરથી અહેવાલ મૂજબ આ ભૂકંપોની અસર તાલાલા શહેર અને આજુબાજુના વિસ્તારમાં જોવા મળી હતી. કેન્દ્રબિંદુ તાલાલાથી ૩ કિ.મી. ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશાએ નોંધાયું હતું અને જમીનથી માત્ર 4 કિ.મી.ની ઉંડાઈએ કંપન ઉદ્ભવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, પંદર દિવસ પહેલા 14 ઓક્ટોબરના રોજ તાલાલા ગીર પાસે પશ્ચિમ-પશ્ચિમ ઉત્તર દિશાએ હીરણ નદીની સામે કાંઠે તલાલાથી 2 કિ.મી.ના અંતરે ભૂકંપ નોંધાયો હતો. આ ભૂકંપ પણ જમીનથી માત્ર 3 કિ.મી.ની ઉંડાઈ આવ્યો હતો. આ પહેલા તજજ્ઞોના જણાવ્યા મૂજબ તાલાલા પંથકમાં કચ્છ જેવી કોઈ મોટી ફોલ્ટલાઈન નથી પરંતુ, જમીનના પોપડાંમાં ફ્રેક્ચર્સ, નાના નાના ફોલ્ટ્સ રચાતા હોય જેના કારણએ આવા આંચકાનો અનુભવ થતો રહે છે. આ આંચકા મોટાભાગે ઓછી તીવ્રતાના અને જમીનમાં બહુ ઉંડાઈએ હોતા નથી.  આપને જણાવી દઈએ કે, આજે ઉપરાઉપરી આંચકા આવ્યા તે જ દિશામાં તાલાલાથી 13 કિ.મી.ના અંતરે ચિત્રોડ અને સાસણગીર વચ્ચે 4.0ની તીવ્રતાનો તીવ્ર ભૂકંપ તા.2-5-2022 ના નોંધાયો હતો. તાલાલા ઉપરાંત અમરેલી પંથકમાં પણ વારંવાર હળવા ભૂકંપો આવતા રહ્યા છે અને આઈ.એસ.આર.ના વૈજ્ઞાનિકોએ ત્યાં અભ્યાસ પણ કર્યો છે. તાજેતરમાં ચાર દિવસ પહેલા જ તા.27ના અમરેલી પંથકમાં જીરા અને માધુપુર ગામ વચ્ચે રિચર સ્કેલ પર 3.7 તીવ્ર ભૂકંપ નોંધાયો હતો.

આપને જણાવી દઈએ કે, ગઈકાલે પૂરા થતા ઓક્ટોબર- 2024માં ગુજરાતમાં કૂલ 7 ભૂકંપો નોંધાયા છે જેમાં 1 તાલાલા, 1 અમરેલી તથા કચ્છના દુધઈ, ખાવડા અને ભચાઉમાં 3 અને ગુજરાતની સરહદે મહારાષ્ટ્રના પાલઘર પંથકમાં ૨ ભૂકંપ સમાવિષ્ટ છે. તંત્ર દ્વારા માત્ર 2.5થી વધુ તીવ્રતાના ભૂકંપની માહિતી જ ઓનલાઈન જાહેર કરાતી રહે છે. આમ, આ ઉપરાંત નાના આંચકા અસંખ્ય આવી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular