Tuesday, July 22, 2025
Google search engine
HomeNewsGujaratટેનિસ ચુનારા.... એકે હજારા!!

ટેનિસ ચુનારા…. એકે હજારા!!

શું તમારી પાસે પૈસા હોય તો જ કોઈની મદદ થઈ શકે ..?
શું તમારી પાસે માણસોની ટીમ હોય તો જ કોઈનું ભલું થઈ શકે …?
કઠવાડામાં રહેતા આ રિક્ષાચાલક ટેનિસને આમાંથી કશું લાગુ પડતુ નથી …

ટેનિસ ચુનારા… આ નામ સાથે જ એક રમત જોડાઈ છે પરંતુ તેમના સ્વભાવમાં પણ અલગ સ્પિરિટ છે. વાત છે કઠવાડામાં ચાલતા શેલ્ટર હોમની. અહીં રહેતા ૧૦૧ આશ્રિતો રોજ ટેનિસની કાગડોળે રાહ જુએ છે. હમણાં ટેનીસ આવશે અને કંઈક લાવશે એવી આશામા રહેતા શ્રમિકો ક્યારેય નિરાશ નથી થતાં. ટેનિસ આમ તો રિક્ષાચાલક છે અને રિક્ષા ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે..

જો કે ટેનિસ કોઈ સાધન સંપન્ન માણસ તો નથી જ, પરંતુ તેનું દિલ અને સ્વભાવ કંઈ કેટલાય સાધન સંપન્ન અમીરોને શરમાવે એવું છે.

કોવિડ-૧૯ મહામારીના પગલે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. અમદાવાદ કે અન્ય શહેરોમાં કામ કરતાં કેટલાય શ્રમિકો વતનમાં જઈ શક્યા નથી. ક્યાંક સંજોગો તેમને અહીં લાવ્યા છે અને ક્યાંક પ્રશાસન અહીં લાવ્યું છે.

અહીં વ્યવસ્થા સંભાળતા ટી.ડી.ઓ પંકજ મહિડા સમગ્ર પંચાયતની ટીમ આ આશ્રિતો માટે સેવા કરી રહી છે. મહિડા કહે છે કે, ” આ શ્રમિકોને અહીં જિલ્લા પ્રશાસન અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની સેવા ઉપલબ્ધ કરાઇ છે. તેમને રહેવા જમવા અન્ય સુવિધાઓ અહીં ઉપલબ્ધ છે.

આ શ્રમિકો માટે સૌથી મોટો સહયોગ કઠવાડા ગામના રહીશો આપી રહ્યા છે. કઠાવાડા ગામમાં રહેતા દાનવીરો યથાયોગ્ય યોગદાન ક્યાંક નાણાં સ્વરૂપે તો ક્યાંક ભોજન સ્વરૂપે અહીં વહાવી રહ્યા છે. ગામના રહીશોને કંઈક આપવું છે એવી જાણ થતાં જ ગામના રિક્ષાચાલક ટેનિસ જોનારા જાતે ત્યાં પહોંચી જાય છે. કોકને ત્યાંથી ચોખા-ઘઉં કે ભોજન તો ક્યારેક લાપસી જેવું મિષ્ટાન જાતે એકઠું કરે છે અને અહીં રહેતા શ્રમિકોને પહોંચાડે છે.

ટેનિસ આટલેથી અટકતો નથી. આમાંથી કોઈને ક્યાંય પણ જવાની જરૂરિયાત ઉભી થાય તો ટેનિસ પોતાની રિક્ષામાં જ લઈ જાય છે. આ સમયમાં ટેનિસ મુસાફરોની હેરફેર કરી ભાડું કમાવવાના બદલે પુણ્ય કમાય છે.

અહીંના તલાટી જયેશભાઈ કહે છે કે, “સાધનસંપન્ન જી.આઇ.ડી.સી.ના અમીર ઉદ્યોગકારોની વચ્ચે કાર્યરત કઠવાડા શેલ્ટર હોમ ટેનિસ જેવા સ્વભાવથી માલેતુજાર લોકોના કારણે જીવંત છે. અહીં રહેતા આશ્રિતોને સમય પસાર કરવામાં મુશ્કેલી પડતી હતી. અમારી રજૂઆતના પગલે તંત્ર દ્વારા તરત જ અહીં ટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે.

આશ્રિતો ટીવી પર રામાયણ- મહાભારત જેવી સિરિયલ જોઈને શાંતિથી સમય પસાર કરે છે. જો કે તેમને તેમના ઘર પરિવારની યાદ સતાવે છે પરંતુ કઠવાડાના ગ્રામજનોના સહકારને કારણે તેમના કલેજાને ઠંડક પહોંચે છે અને તેવું માને છે કે અમારું કોઇક અહીં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular