Saturday, August 9, 2025
Google search engine
HomeNewsGujaratપરપ્રાંતીઓને વતન મોકલવાની કામગીરી પૂરજોશમાં

પરપ્રાંતીઓને વતન મોકલવાની કામગીરી પૂરજોશમાં

અમદાવાદ: પરપ્રાંતીય લોકોને એમના વતન તરફ મોકલવાની કામગીરી ઝડપી બનાવવામાં આવી રહી છે. શહેરના ચાંદલોડિયા વિસ્તારના ગોતા બ્રિજ પાસેથી મંગળવાર, 12 મે ના રોજ બપોરે 35 જેટલી બસો દ્વારા રેલવે સ્ટેશન પહોંચાડવામાં આવ્યા હતા.

પરપ્રાંતીય લોકો ની નોંધણી કરી ગોતા બ્રિજ નીચે ભેગા કરી ભોજન કરાવી, સુવ્યવસ્થિત રીતે બસોમાં બેસાડીને રવાના કરવામાં આવ્યા હતા.

નોંધણી કરાયેલા શ્રમિકોમાં પુરુષો સાથે પરિવારની મહિલાઓ અને નાના બાળકો પણ હતાં. આ આખીય કામગીરીમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પોલીસ તંત્ર અને સ્વયંસેવી સંસ્થા દ્વારા ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી હતી.

(પ્રજ્ઞેશ વ્યાસ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular