Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratભ્રષ્ટાચારની ભરમાર: ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કૌંભાડ અને 300 કરોડનું ગુનાહિત નેટવર્ક

ભ્રષ્ટાચારની ભરમાર: ભૂપેન્દ્રસિંહ ઝાલાનું કૌંભાડ અને 300 કરોડનું ગુનાહિત નેટવર્ક

ઉત્તર ગુજરાતમાં મસ મોટું કૌંભાડ કરનાર BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલાનું એક કાવતરુ છતું થયા બાદ હવે અનેક કારનામાઓ બહાર આવી રહ્યા છે. હવે ગ્રોમોર ચેરીટેબલ ટ્રસ્ટના નામે લોન મેળવી હતી અને ગ્રોમોર એ ભૂપેન્દ્ર ઝાલાએ શરૂ કરેલી શૈક્ષણિક સંસ્થા છે સાથે સાથે તેણે લોને મેળવીને 8 કરોડ અલગ અલગ શિક્ષકોના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા,તો બીજી તરફ 80 શિક્ષકોમાં 8 – 8 લાખ ટ્રાન્સફર કરી રોકડા લીધા હતા અને લોનના પૈસા શિક્ષકોના ખાતામાં નાખી ઉપાડતો હોવાની કરતૂત સામે આવી છે.વિદ્યાર્થીની 80 લાખની ગ્રાન્ટમાં પણ કર્યો ભ્રષ્ટાચાર.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર કૌંભાડી ભૂપેન્દ્રસિંહ ઝાલાએ 300 SC-ST વિદ્યાર્થીઓની ગ્રાન્ટ પણ પડાવી લીધી હોવાની વાત સામે આવી છે. વિદ્યાર્થીઓની 75 લાખની ગ્રાન્ટ પડાવ્યાનું કૌંભાડ સામે આવ્યું છે. BZ ગ્રુપ સામે કાર્યવાહી થતા અન્ય ઈન્વેસ્ટમેન્ટ પેઢીના સંચાલકો પણ ગાયબ છે, હિંમતનગરમાં 26 નવેમ્બરથી અનેક પેઢીઓના શટર ડાઉન થઈ ગયા છે. હિંમતનગર, તલોદ અને મોડાસામાં પેઢીઓને તાળા લાગ્યા છે, AR ગ્રુપની પેઢીઓ સતત સાતમા દિવસે બંધ હાલતમાં જોવા મળી છે. અજય અને રાજુ નામના સંચાલકો ચલાવતા હતા AR ગ્રુપ. AR ગ્રુપમાં 250થી 300 કરોડ રૂપિયાના રોકાણની સંભાવના છે, તો સહકારી જીન વિસ્તારમાં આવેલી ઓફિસને તાળા લાગ્યા છે. પોલીસ પણ આવા ફરાર આરોપીઓને શોધી રહી છે અને પોલીસે ફરિયાદ પણ નોંધી છે. અનેક શિક્ષકો પણ ફરાર થઈ ગયા છે અને પેઢીઓને તાળા લાગી ગયા છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ભૂપેન્દ્રસિંહ ઝાલા માત્ર 30 વર્ષનો છે અને અપરિણીત છે. ભૂપેન્દ્રસિંહ સૌથી પહેલા લોકોમાં ચર્ચામાં આવ્યો તે ઘટના હતી ગત લોકસભા ચૂંટણી. જેમાં ભૂપેન્દ્રસિંહે ભાજપના કાર્યકર હોવા છતાં ટિકિટ નહીં મળતા સાબરકાંઠા લોકસભા બેઠક પરથી અપક્ષ ઉમેદવારી નોંધાવી. જો કે ચૂંટણી લડવાને બદલે તેઓએ ઉમેદવારી પરત ખેંચી લીધી. તેમજ મોડાસામાં યોજાયેલી એક સભામાં ભાજપના એક મોટા ગજાના નેતાએ એમ પણ કહ્યું હતું કે મારા કહેવાથી ભૂપેન્દ્રએ ફોર્મ પરત ખેંચ્યું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular