Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratPM મોદીના આહવાન પર 2400થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ

PM મોદીના આહવાન પર 2400થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ

અમદાવાદઃ વડા પ્રધાન મોદીના ગૃહ રાજ્ય ગુજરાતે તેમનું સપનું સાકાર કર્યું છે. વડા પ્રધાન મોદી રાજ્યના દરેક જિલ્લામાં 75 તળાવોનું નિર્માણ કરવાની અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે દેશમાં અમૃતકાળમાં છે તો રાજ્યના દરેક દિલ્લામાં 75 અમૃત સરોવર હોવા જોઈએ.રાજ્ય સરકારે 33 જિલ્લામાં 2400થી વધુ અમૃત સરોવરોનું નિર્માણ કાર્ય પૂરું કરી લીધું છે.

વડા પ્રધાને એપ્રિલ, 2022ના મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને દેશના પ્રત્યેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા માટે આહવાન કર્યું હતું. આઝાદીના અમૃત મહોત્સવના અવસરે પાણી બચાવવાના સંકલ્પ લેવાની તેમણે વિનંતી કરી હતી. રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ દિશામાં નોંધનીય કાર્ય કર્યું છે. રાજ્ય સરકારે 100 ટકાથી વધુ કાર્ય પૂરું કરી લીધું છે. અત્યાર સુધી 2475ના લક્ષ્યની તુલનાએ રાજ્યમાં 2652 અમૃત સરોવરોની ઓળખ કરવામાં આવી છે અને 2612 અમૃત સરોવરોનું નિર્માણ પૂરું થઈ ચૂક્યું છે.

વડા પ્રધાને પ્રત્યેક અમૃત સરોવર એક એકરમાં (0.4 હેક્ટર)નું તળાવ બનાવવાનો માપદંડ રાખ્યો હતો, જેમાં 10,000 ઘનમીટરની સંગ્રહક્ષમતા હોય. રાજ્યમાં ગયા મહિને યોગ દિવસે 1597 સરોવરો પર 65,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. આ રીતે એક જુલાઈએ કેટલાય અમૃત સરોવરો પર આરોગ્ય શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રએ સ્થઆનિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને ગામના અગ્રણીઓ સાથે સંવાદ કર્યો હતો. રાજ્ય સરકારે વડા પ્રધાનના સૂચન અનુસાર રાજ્યમાં અમૃત સરોવરો બનાવ્યાં હતાં.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular