Monday, May 19, 2025
Google search engine
HomeNewsGujaratઅગ્નિકાંડના પીડિતોના ન્યાય માટે કોંગ્રેસ મેળામાં લગાવશે સ્ટોલ

અગ્નિકાંડના પીડિતોના ન્યાય માટે કોંગ્રેસ મેળામાં લગાવશે સ્ટોલ

આજરોજ રાજકોટ કોંગ્રેસ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદને સંબોધતા પૂર્વ ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુએ જણાવ્યું હતું કે “નવા કાંડના વાદળો હજી મંડરાયેલા છે ભાજપ ભ્રષ્ટાચારમાં ગળાડુબ છે ત્રીપલ એન્જિનની સરકાર કોર્પોરેશનથી લઇ અને સાંસદ સુધી ભ્રષ્ટાચારમાં ડૂબેલી છે. જે રીતના સરકારી તંત્ર દ્વારા તપાસ ચલાવી રહી છે, તેમાં ખ્યાલ આવે છે કે ગુજરાત સરકાર કોર્પોરેશનના તેના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ જેના દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવે છે, તેવા લોકોને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આનાથી રાજકોટની પ્રજા ઉપર ફરીથી કાંડ થવાની શક્યતાઓ મંડરાયેલી છે.

ગુજરાતમાં બનેલી તમામ ઘટનાઓને છાવરવામાં આવે છે. લોકોની જાગૃતિ જ આમાં કામ કરી શકશે, સરકાર ઉપર પ્રેશર લાવી શકશે, રાજકોટ સફળ બંધને આ સરકારને હલાવી હતી. તમારી સતત જાગૃતિ અને રોજ બે રોજની તમારી અંદરો અંદરની ચર્ચાઓની પણ સરકારે નોંધ લીધી હોય છે. અધિકારીઓને કે પદાધિકારીઓને બચાવવાનું જે ભાજપ કરી રહ્યું છે. લોક જાગૃતિનું કામ અમે મેળામાં સ્ટોલ મેળવી અને કરવા માગીએ છીએ. આ અંગે આવતીકાલે રાજકોટ જિલ્લા કલેકટર સમક્ષ લોકમેળામાં અગ્નિકાંડના પીડિતો ન્યાય અંગેના સ્ટોલની લેખિતમાં માગણી રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવશે. હાલમાં જો સરકાર એની ઓછો વિકાસ અને જાહેરાતો જાજી એ મેળામાં કરી શકતા હોય તો લોકજાગૃતિનું કામ મેળામાં શા માટે ન થઈ શકે ? સરકારની અસફળતાઓને દર્શાવવાનું કામ મેળામાં શા માટે ન થઈ શકે.

અમારી જાણકારી મુજબ અધિકારીઓ જેની ધરપકડો કરવામાં આવી છે તેમણે પદાધિકારીઓના નામ પણ દરેક તપાસમાં કબુલાત કરેલ છે. જો સરકાર લોકમેળામાં આ અંગે સ્ટોલ નહીં ફાળવે તો અગ્નિકાંડનો મુદ્દો રાજકોટની શેરીમાં લઈ જવાશે. ભાજપ સરકાર ફક્ત ગેમ ઝોનમાં ભ્રષ્ટાચાર આચરી છે એવું નથી, પરંતુ રસ્તાના કામમાં અને બાંધકામમાં બેફામ ભ્રષ્ટાચારો આચરીને કરોડો રૂપિયાની નેતાઓએ લાંચ લીધી છે. જેની તપાસ લાંચ રૂશ્વત બ્યુરો ખાતા દ્વારા તપાસ પણ થવી જોઈએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular