Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsGujaratમાસ્કવિહોણા લોકોએ કોવિડ-કેર સેન્ટરમાં સેવા બજાવવી પડશે

માસ્કવિહોણા લોકોએ કોવિડ-કેર સેન્ટરમાં સેવા બજાવવી પડશે

અમદાવાદઃ ગુજરાત રાજ્યમાં કોરોના વાઇરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટે કોરોના સંબંધિત પરિસ્થિતિની સુઓ-મોટો અરજી મામલે વિજય રૂપાણી સરકારને આદેશ આપ્યો છે કે માસ્ક વિના ફરતા લોકોને કોવિડ કેર સેન્ટરમાં સેવા કરવાનું તે જાહેરનામું બહાર પાડે. હાઈકોર્ટે માસ્ક ન પહેરનારા સામે પણ સખત નારાજગી વ્યક્ત કરી છે. આ આદેશનો અમલ તાત્કાલિક ધોરણે કરાવવા અને એક સપ્તાહમાં રિપોર્ટ રજૂ કરવા પણ હાઈકોર્ટે આદેશ કર્યો છે.

પાંચથી 15 દિવસનો સમયગાળો સરકાર નક્કી કરે

હાઇકોર્ટના આદેશ મુજબ હવે માસ્ક વગર પકડાયેલા લોકોએ કોવિડ કેર સેન્ટરમાં ફરજિયાત પાંચથી છ કલાકની કોમ્યુનિટી સેવા આપવી પડશે. જોકે પાંચથી ૧૫ દિવસનો સમયગાળો સર્વિસ માટેનો સરકાર નક્કી કરી શકે છે. એ સિવાય ઉંમર અને લાયકાતને ધોરણે જવાબદારી સરકાર નક્કી કરી શકશે, જેમાં મોટા ભાગે જવાબદારી નોન-મેડિકલ પ્રકારની રહેશે.

આ ઉપરાંત કોર્ટે માસ્ક ન પહેરનારાઓ પાસેથી દંડ વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. કોરોનાની રસી નથી શોધાઈ ત્યાં સુધી માસ્ક જ રસી છે. આ પગલાથી રાજ્ય સરકારને કોવિડનો ફેલાવો રોકવામાં મદદ મળશે, એમ હાઇકોર્ટ કહ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular