Saturday, June 14, 2025
Google search engine
HomeNewsGujaratચાઈનીઝ લસણ વિવાદ વકર્યો, માર્કેટ યાર્ડમાં લસણના સોદા બંધ થયા

ચાઈનીઝ લસણ વિવાદ વકર્યો, માર્કેટ યાર્ડમાં લસણના સોદા બંધ થયા

રાજકોટ: ઉપલેટાના ચાઈનીઝ લસણથી ગત સપ્તાહે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં વિવાદના વંટોળ ઊભા થયા હતા. જે વિવાદ થમવાનું નામ નથી લઈ રહ્યો. આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં લસણનું કામકાજ બંધ છે. ઉલ્લેખનીય છે કે ગત સપ્તાહે ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ઉપલેટાથી ચાઈનીઝ લસણ ઘુસાડવામાં આવ્યું હતુ. ચાઈનીઝ લસણ મામલે વિરોધ થતાં રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં આજે લસણના સોદા બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

એક બાજું માર્કેટિંગ યાર્ડમાં લસણ મુદ્દે કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે બીજી બાજુ ચાઈનીઝ લસણ મુદ્દે ખેડૂતોમાં પણ ભારોભાર નારાજગી અને રોષ છે. તેમજ ગોંડલમાં ચાઈનીઝ લસણની આવકના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. રાજકોટ સહિતના માર્કેટયાર્ડમાં લસણનો વેપાર બંધ છે. માર્કેટયાર્ડમાં લસણની હરાજી કરવામાં આવશે નહિ. ખેડૂતોને યાર્ડમાં લસણ ભરીને ન આવવા અપીલ કરાઇ છે. વાત એમ છે કે ગત સપ્તાહે ઉપલેટાના ખેડૂત ચાઈનીઝ લસણ વેચવા લાવ્યા હતા. ગોંડલમાં આવેલા ચાઇનીઝ લસણને લઈ રાજકોટમાં પણ લસણની હરાજી બંધ રહેશે.

ભારતમાં ચાઈનીઝ લસણની આયાત ઉપર દાયકાથી પ્રતિબંધ છે, તેમ છતાં ગોંડલમાં ચાઈનીઝ લસણની ચાર-પાંચ ગુણી ઠલવાઈ જતા જ સૌરાષ્ટ્રના વેપારીઓ અને ખેડૂતોમાં રોષ જાગ્યો છે. રાજકોટ યાર્ડના વેપારી એસોસિએશને ગોંડલમાં મળી આવ્યું તે લસણ મોટા કન્ટેનર ચીનથી ઠલવાઈ ગયા હોય તે પૈકીનું હોવાની શક્યતા છે. સરકાર આ અંગે ઉંડી તપાસ કરીને આયાત અટકાવે તેવી માંગ સાથે આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના યાર્ડમાં લસણની હરાજી બંધ રાખીને વિરોધ કરવાનું એલાન અપાયું છે. ગોંડલ યાર્ડમાં 750 કિલો ચીનનું લસણ કોણ લાવ્યું અને યાર્ડના સત્તાધીશોએ કેમ લાવવા દીધું તે અંગે પણ સવાલ ઉઠયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular