Sunday, July 6, 2025
Google search engine
HomeNewsGujaratમુખ્ય મંત્રી યોગીને હસ્તે સરયૂ ઘાટમાં ફ્લોટિંગ LED સ્ક્રીનનું ઉદ્ઘાટન થશે

મુખ્ય મંત્રી યોગીને હસ્તે સરયૂ ઘાટમાં ફ્લોટિંગ LED સ્ક્રીનનું ઉદ્ઘાટન થશે

અયોધ્યાઃ અયોધ્યામાં રામમંદિર પ્રાણપ્રતિષ્ઠાની તૈયારીઓ પુરજોશમાં ચાલી રહી છે, સમગ્ર ભારત અને વિશ્વના હિંદુઓ આ પ્રસંગની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, ત્યારે મૂળ વડોદરાના યુવા ગુજરાતી NRI તેમ જ સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર  જિજ્ઞેશ મહેતા ભારતની સૌથી મોટી ફ્લોટિંગ LED સ્ક્રીન બનાવી અને અયોધ્યા સરયૂ ઘાટમાં તરતી મૂકવા જઈ રહ્યા છે. આ સ્ક્રીન 1100 ચોરસ ફૂટની રહેશે. આ સ્ક્રીનની લંબાઈ 69 ફૂટ અને ઊંચાઈ 16 ફૂટ રાખવામાં આવી છે. ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથ 19 જાન્યુઆરીએ તેનું ઉદ્ઘાટન કરશે. 22 જાન્યુઆરીએ યોજાનાર રામ મંદિરના તમામ કાર્યક્રમો આ સ્ક્રીન પર લાઇવ ટેલિકાસ્ટ કરવામાં આવશે.આ અંગે વધુ જણાવતાં સેન્ચુરી હોસ્પિટાલિટીના ડિરેક્ટર જિજ્ઞેશ મહેતાએ કહ્યું કે આ LED સ્ક્રીન કેટમરેન ડિઝાઈનની બોટ પર લગાવવામાં આવશે, જે અયોધ્યા ઘાટ પર બનાવવામાં આવી રહી છે. બોટનું નિર્માણ ભારતીય રજિસ્ટર ઓફ શિપિંગની દેખરેખ હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ બોટના નિર્માણ માટે ખાસ દક્ષિણ ભારતથી કુશળ કારીગરોને બોલાવવામાં આવ્યા છે.

પ્રાણપ્રતિષ્ઠા પછીના દિવસોમાં પણ આ સ્ક્રીન પરથી શ્રદ્ધાળુઓ સરયૂ ઘાટ પાસેથી રામલલ્લાના લાઇવ દર્શન કરી શકશે તેમ જ જાહેરાતો પણ આપી શકશે. આ પ્રોજેક્ટના નિર્માણ માટે ભારતના વિવિધ ખૂણેથી અનેક પ્રકારનાં મશીનો અને સામગ્રીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

 

 

 

,

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular